નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનોમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળવા જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે શહેરની બહાર જ રોકી લીધા. કોંગ્રેસ નેતાઓએ પોલીસને કહ્યું કે, માત્ર ત્રણ લોકો જ જશે, છતા પોલીસે તેમને શહેરમાં જવા નહોતા દીધા.
કોંગ્રેસ નેતાઓને પોલીસે મેરઠથી બહાર પરતાપુરમાં રોકવામાં આવ્યા
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાછા દિલ્હી માટે રવાના થયા હતા
કોંગ્રેસ નેતાઓને પોલીસે મેરઠથી બહાર પરતાપુરમાં રોકવામાં આવ્યા. પોલીસે તેમને કહ્યું કે, તમે બે દિવસ બાદ આવી શકો. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાછા દિલ્હી માટે રવાના થયા હતા.
નોંધનીય છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે એક અઘોષિત પ્રવાસ હેઠળ ઉત્તર પ્રદેશના બિજનોર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નવા નાગરિકતા કાયદાને લઇને થયેલી હિંસામાં માર્યા ગયેલા બે લોકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ સૂત્રોએ કહ્યું કે, બિજનોર જિલ્લાના નહટોર ક્ષેત્રમાં તેઓ ગયા. જ્યાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને હાલમાં જ થયેલી હિંસામાં બે પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા. તેઓ ત્યાં માર્યા ગયેલા અનસ અને સુલેમાનના પરિવારજનોને મળ્યા હતા.
Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi Vadra stopped outside Meerut by Police. They were on their way to meet families of those killed in violence that broke out during protests against #CitizenshipAmendmentActpic.twitter.com/kYlbmpDNDI
આ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પોલીસની ગોળીથી ઘાયલ થયેલા ઓમરાજ સૈનીના પરિવારજનોને મળ્યા. ઓમરાજ સૈનીનો વર્તમાનમાં મેરઠની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સોમવારે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પર કોંગ્રેસના સત્યાગ્રહમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે, દેશની ઉન્નતિને નષ્ટ કરવાનું જે કામ ભારતના દુશ્મન પણ ના કરી શક્યા તે કામ કરવા વડાપ્રધાન મોદી કરી રહ્યા છે.