ઉત્તરપ્રદેશના લખનઉમાં ઘંટાઘરમાં મહિલાઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન મામલે શાયર મનવ્વર રાણાની બે દીકરીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. સુમૈયા અને ફૌઝિયા રાણા સહિત 100 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. દીકરીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેને પગલે મુનવ્વર રાણાએ કહ્યું...
શાયર મુન્નવ્વર રાણાની 2 દિકરીઓ સામે કેમ ફરિયાદ થઈ..
શાયર મુન્નવ્વર રાણાએ સરકારના નિર્ણયને હિટલર કરતા પણ ખરાબ કહ્યો
સરકાર આવા પગલા ઉઠાવતી રહેશે તો દેશની સ્થિતિ બગડશે
આવો ખરાબ કાયદો તો હિટલરે પણ નથી બનાવ્યો
જે મામલે હવે મુનવ્વર રાણાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. મુન્નવર રાણાએ કહ્યું છે કે,‘ આટલો ખરાબ કાયદો તો હિટલરે પણ નહોતો બનાવ્યો. આજે દેશની દીકરીઓ પ્રદર્શન કરી રહી હતી. તે સમયે ત્યાંના શૌચાલયને તંત્રએ લોક મારી દીધા છે. ’
400થી વધુ બેઠક તો ઈન્દિરા ગાંધી પણ જીતીને લાવ્યા હતાં પણ
આ સાથે મુન્નવર રાણાએ દીકરીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થવા મામલે કહ્યું છે કે, ‘એ તો પોલીસનુ કામ છે જે તે કરી રહી છે, પણ બેવડો કાયદો દેશને બરબાદ કરી દેશે. જો તંત્ર સુઝબુઝથી કામ નહીં કરે તો દેશની સ્થિતિ વધુ બગડશે. ’ આ સાથે જ મુનવ્વર રાણાએ ભાજપને સલાહ આપતાં કહ્યું હતું કે. ‘400થી વધુ બેઠક તો ઈન્દિરા ગાંધી પણ જીતીને લાવ્યા હતા, પણ આજે કોંગ્રેસ 40-50 સુધી સીમિત થઈ ગઈ છે. ત્યારે ભાજપે પણ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ.’