ગુરૂવારથી ગુજરાતમાં CAAનો વિરોધ હિંસક બન્યો છે. અમદાવાદમાં પથ્થરમારા બાદ, વડોદરામાં પણ પથ્થરમારો થયો હતો. અમદાવાદમાં એક મહિલા પોલીસ કર્મચારી સહિચ 20 જેટલા પોલીસકર્મી મળીને કુલ 32 લોકો ઘાયલ થયા હતા જ્યારે વડોદરામાં પણ 8 પોલીસકર્મી પથ્થરમારાનો ભોગ બન્યા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન આવ્યું છે કે, આ વિરોધ પક્ષનો કારસો હતો જેને પ્રજાએ સપોર્ટ નથી આપ્યો.
CAA બાદ તોફાનો અંગે CM રૂપાણીનુ નિવેદન
અત્યારે ગુજરાતમાં સંપૂર્ણ શાંતિ, પરિસ્થિતિ કોન્ટ્રોલ માં છે
ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સલામત છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, અત્યારે ગુજરાતમાં સંપૂર્ણ શાંતી છે. પરીસ્થિતિ કંટ્રોલમાં છે. પ્રજાએ વિરોધપક્ષના આ કાર્યક્રમને સપોર્ટ નથી કર્યો. કાયદો અને વ્યવસ્થા સલામત છે. CM વિજય રૂપાણીના નિવેદન અને ગુજરાતની પરિસ્થિતિમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
શું કહ્યુ CM રૂપાણીએ?
CM રુપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, પ્રદર્શનકારીઓ સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે. જે લોકો પકડાયા છે તે કોણ છે તે તમામને ખબર છે. કોંગ્રેસ જ આ બધુ કરી રહી છે. અમદાવાદમાં પથ્થરમારા માટે કોંગ્રેસ જ જવાબદાર છે.