દિલ્હીમાં શાહીનબાગને હવે તો આંતરાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળી ગઈ છે. ત્યારે અમદાવાદમાં પણ શાહીનબાગ બનાવવાનો કારસો રચાઈ હોવાની ચર્ચાને પગલે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થતા પોલીસ સહિતનું તંત્ર સાવધ થઈ ગયુ હતુ. જો કે, અમદાવાદમાં રખિયાલ, બાપુનગર, જુહાપુર અને દરિયાપુરમાં મહિલાઓ છેલ્લા કેટલાય દિવસોથી ધરણા ઉપર બેઠી છે.
રખિયાલમાં ચાલે છે ધરણા
બાપુનગરમાં મહિલાઓનો વિરોધ
જમાલપુર-30 હજાર ઘરમાં કાનૂન ભંગના સ્ટિકર લગાવાયા
CAA-NCRના વિરોધમાં દિલ્હીમાં શાહીનબાગ ખાતે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા અમદાવાદના રખિયાલ, બાપુનગર, જુહાપુરા અને દરિયાપુરમાં શાહીનબાગની જેમ જ 22 દિવસથી માંડી દોઢ મહિનાથી મહિલાઓ ધરણાં પર બેઠી છે. દરિયાપુર લીમડી ખાતે પણ આ જ પ્રકારે મહિલાઓનો ધરણાં કાર્યક્રમ ચાલતો હતો જે પોલીસે રવિવારે રાત્રે બંધ કરાવ્યો હતો. આ આંદોલનને શહેરના કેટલાક શિક્ષણવિદ, કલાકારો, સામાજિક સંગઠનોનો ટેકો છે.
રખિયાલમાં ચાલે છે ધરણા
રખિયાલ અજિત મિલ પાસે 14 જાન્યુઆરીથી ધરણાં ચાલે છે. બંધારણ સમજાવતા પુસ્તકોની લાઈબ્રેરી ખૂલી, વિવિધ ક્ષેત્રના વક્તાનું ભાષણ, દેશપ્રેમના ગીતો, ગઝલો વગાડવામાં આવી રહી છે અને અનોખો વિરોધ કરાઈ રહ્યો છે. ધરણાંમાં ભાગ લેનારી મહિલાઓનું કહેવું છે કે, CAAનો કાયદો રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. IIM, CEPT અને અમદાવાદ યુનિવર્સિટીએ બંધારણ અંગેના પુસ્તકો મૂક્યાં છે.
જુહાપુરા, અકબર ટાવર-9 ફેબ્રુઆરીથી વિરોધ પ્રદર્શન
9મી ફેબ્રુઆરીથી જુહાપુરમાં અકબર ટાવર પાસેથી વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યો છે. ગીતો, કવિતા, સૂત્રોચ્ચારથી CAAનો વિરોધ થાય છે. રોજ જુદા જુદા વક્તા બંધારણ, કોમી એકતા પર ભાષણ આપે છે. ભાગ લેનારી મહિલાઓનું કહેવું છે કે, સરકાર CAA કાયદો પાછો ન ખેંચે ત્યાં સુધી સ્થળ છોડીશું નહીં. સ્વચ્છતા, કોમી એકતા, અન્ય ધર્મ પ્રત્યે આદર જાળવવાની શીખ અપાય છે.
બાપુનગરમાં મહિલાઓનો વિરોધ
બાપુનગર મોરારજી ચોક પાસે મહિલાઓ અહીં 29 જાન્યુઆરીથી વિરોધ પ્રદર્શન કરી રહી છે. છે.
CAAના વિરોધમાં બનાવાયેલા ગીતો ગવાય છે. વિવિધ સંગઠનના લોકો અને સામાજિક કાર્યકરો ભાષણ આપે છે. મહિલા અગ્રણીઓનું કહેવું છે કે, સીએએ રદ કરવામાં ન આવે ત્યાં સુધી દેખાવો અને વિરોધ ચાલુ રાખીશું. બપોરે 1થી 5માં અને રાત્રે 8થી 11 સુધી મહિલાઓ ધરણાં પર બેસે છે.
જમાલપુર-30 હજાર ઘરમાં કાનૂન ભંગના સ્ટિકર લગાવાયા
જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, જમાલપુર વોર્ડમાં 30 હજાર ઘરમાં સીએએનો વિરોધ કરી કોઈપણ પ્રકારના દસ્તાવેજો નહીં બતાવી સવિનય કાનૂન ભંગ કરવાની અપીલ કરતાં સ્ટિકર લગાવવામાં આવ્યા છે. મંગળવારથી બહેરામપુરા, રાયખડ, મિરઝાપુર, શાહપુર સહિતના 1 લાખ ઘરોમાં આવા સ્ટીકરો લગાવી ડોર ટુ ડોર લોકોને જાગૃત કરાશે. એનઆરસી-એનપીઆર અંગે કોઈપણ પ્રકારના દસ્તાવેજ નહીં બતાવવા ઝુંબેશ