ગુજરાતભરમાં CAAનો વિરોધ હિંસક બની રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં ટોળાના પથ્થરમારા બાદ શુક્રવારે વડોદરામાં પણ એ જ સ્ટાઈલથી પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો જેમાં 8થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. વડોદરા પોલીસે આ મામલે 80થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શુક્રવારની નમાઝ બાદ મસ્ઝિદમાંથી અચાનક જ મારો કાટોના નારા સાથે ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો.
નમાઝ બાદ ટોળાએ પોલીસને કાટો અને મારોના કર્યા સૂત્રોચાર
વડોદરાના હાથીખાનામાં પથ્થરમારાના મામલે સિટી પોલીસ સ્ટેશનના PI ડી.જે. સોસાએ ફરિયાદ નોંધાવી છે. PI ડી.જે. સોસાએ 80થી 90 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં રાયોટિંગ,પબ્લિક પ્રોપર્ટીને નુકશાન સહિતની કલમો લગાવાઇ છે. નમાજ બાદ ટોળાએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક શખ્સો તલવાર અને લોખંડની પાઇપ લઇને ધસી આવ્યા હતા. ત્યારે પોલીસે ટોળામાં આવેલા 36 આરોપીઓને ઓળખ કરી લીધી છે. હવે ફરિયાદના પગલે ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલાની તપાસ કરશે.
8થી વધુ વાહનોના કાચ તોડી નંખાયા
વડોદારની હિંસામાં ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે બે રાઉન્ડ ગોળીબાર તેમજ 30થી વધુ ટીયરગેસના સેલ છોડવા પડ્યાં હતા. ટોળાએ કરેલા પથ્થરમારમાં 8થી વધુ પોલીસ જવાનોને ઇંજા પહોંચી હતી. હાથીખાના અને ફતેપુરામાં થયેલા એચ ડિવીઝનના એ.સી.પી. ભરત રાઠોડ અને પી.આઇ. એન.બી. જાડેજા પણ પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા હતા અને ગણતરીની મિનિટોમાં જ પોલીસના આઠથી વધુ વાહનોના કાચ તોડી નાંખવામાં આવ્યાં હતા
મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રીત થઈ
હાથીખાના પાસે બનેલી ઘટના બાદ આ વિસ્તારમાં મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઇ હતી. વારંવાર કહેવા છતાં મહિલાઓનું ટોળુ વિખેરાતું ન હોવાના કારણે આખરે મહિલા પોલીસ અધિકારીએ લાઉડ સ્પિકર પર તમામને વિખેરાઇ જવાની સુચના આપવાનું શરૂ કર્યું હતું. નામઝ બાદ ટોળાએ પોલીસ પર કાટો મારોના સૂત્રોચ્ચાર સાથે હૂમલો કર્યો હતો.
વેપારીઓએ ફટોફટ દુકાનો કરી બંધ
ફતેપુરા હાથીખાના વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બન્યાં બાદ આ બનાવના પગલે સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઇ ગયો હતો અને ફતેપુરા રોડ, એમ.જી.રોડ તેમજ પાણીગેટ રોડ પરની દુકાનો વેપારીઓએ બંધ કરી દીધી હતી.