અલીગઢમાં CAAઅને NRCનો વિરોધ કરી રહેલા 1000 પ્રદર્શનકારીઓને પ્રદર્શન કરવું ભારે પડી રહ્યું છે. અલીગઢનાં અનિશ્ચિત સમય માટે ધરણા પર બેઠેલાને નોટિસ મોકલામાં આવી છે. નોટીસ આપી પ્રદર્શનકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જાણો કેમ આ કાર્યવાહી કરવામાં આવી છે.
અલીગઢમાં 1000 પ્રદર્શનકારીઓને નોટિસ
કેમ કાર્યવાહી ન કરવી તેનો માગ્યો જવાબ
જવાબ નહી મળે તો સંપત્તિ ફ્રીઝ કરવાની આપી ધમકી
જવાબ નહીં આપે તો આઈપીસીની કલમ હેઠળ કાર્યવાહી કરાશે
નોટિસમાં કેમ કાર્યવાહી ન કરવી તેનો જવાબ માગવામાં આવ્યો છે. સિટી મેજિસ્ટ્રેટ વિનીત કુમાર સિંહે કહ્યું કે, જો 7 દિવસની અંદર પ્રદર્શનકારીઓ જવાબ નહીં આપે તો આઈપીસીની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રદર્શનકારીઓની વચ્ચે ઘુસ્યો હતો આખલો
અલીગઢમાં CAA-NRCના વિરોધમાં કેટલાક પ્રદર્શનકારીઓ અનિશ્વિત સમય સુધી ધરણા પર બેઠા છે. કાયદો અને વ્યવસ્થાને ડોળવાના કારણે આ નોટિસ આપવામાં આવી છે. જેને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો જવાબ નહીં મળે તો સંપત્તિ ફ્રીઝ કરવાની ધમકી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રદર્શનકારીઓની વચ્ચે એક આખલો ઘુસ્યો હતો. બુધવારે જે અફરાતફરી મચી ગઈ હતી તેમાં એક 20 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. ભીડમાં બાળકો પણ હતા.
મહિલાઓએ પોલીસ પર કર્યા હતા આક્ષેપ
ભીડમાં મચેલી અફરાતફરીને લઈને પ્રદર્શનકારી મહિલાઓએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા. આ ઘટના બાદ આ તમામ કાર્યવાહી કરવામાં આવી છે. મહિલાઓએ બુધવારે સૂત્રોચ્ચાર કર્યો હતો કે આખલાને જાણી જોઈને પ્રદર્શનકારીઓની ભીડમાં મોકલવામાં આવ્યો હતો. જેથી પ્રદર્શનકરીઓ ડરી જાય જોકે પોલીસે આ આક્ષેપને ફગાવી દીધો હતો.