નાગરિકતા સંશોધન કાયદા (CAA) ની વિરુદ્ધ દેશના અલગ-અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કેટલાય યુવા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સરકારની વિરુદ્ધ વિરોધ દર્શાવતા નિવેદન આપી રહ્યા છે. આવી જ એક લૉ સ્ટૂડન્ટે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું.
CAAની વિરુદ્ધ દેશના અલગ-અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન
લૉ સ્ટૂડન્ટે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું
વિદ્યાર્થીનીએ કહ્યું, લોકતંત્રનું નામ લઇને તેને બરબાદ કરવામાં આવી રહ્યું છે
વિદ્યાર્થીનીએ દેશમાં લોકતંત્રની સ્થિતિ અને સુપ્રીમ કોર્ટ પ્રત્યે નિરાશા જાહેર કરી. વિદ્યાર્થીનીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટથી અમને નિરાશા છે, કેમકે અમારી રિટ અરજીઓને સાંભળવામાં આવી રહી નથી. લૉ સ્ટૂડન્ટ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ઘણો જોવાઇ રહ્યો છે.
વિદ્યાર્થીની વીડિયોમાં કહી રહી છે કે, ''લોકતંત્રનું નામ લઇને તેને બરબાદ કરવામાં આવી રહ્યું છે. અહીં લોકતંત્ર નથી. લોકતંત્ર એ નથી હોતું, જે આપ (સરકાર) સાંભળવા માંગો છો, પરંતુ એ હોય છે, જે અમે કહેવા માંગીએ છીએ. આપના 'મન કી બાત' નહીં, પરંતુ અમારા મનની વાત''.
વિદ્યાર્થીનીએ કહ્યું કે, લોકતંત્ર લોકો માટે છે. સત્તા તો આજે છે કાલે નહીં રહે, પરંતુ આ દેશ રહેશે. લોકતંત્ર કેટલાક લોકો અથવા માત્ર પોતાના સમર્થકો માટે નથી હોતું. સરકાર દેશના તમામ લોકો માટે કામ કરે છે. વિદ્યાર્થીનીએ દેશની બગડતી આર્થિક સ્થિતિના મુદ્દા પર પણ સરકારને ઘેરી અને કાશ્મીરની સ્થિતિને લઇને ચિંતા દર્શાવી.
વિદ્યાર્થીનીએ કાશ્મીર મુદ્દા પર બોલતા કહ્યું કે, ''કાલે જ્યારે લોકો બોલશે કે શું ભારતના લોકો સુઇ રહ્યા હતા, જ્યારે તેમના પોતાના જ લોકો મુશ્કેલીમાં હતા, ત્યારે અમારા જેવા કેટલાક કહી શકશે કે અમે અમારી તરફથી પ્રયાસ કર્યો હતો. પછી અમારાથી આગ ઓલવાઇ રહી નહોતી, પરંતુ અમે તેમા અમારા હાથ પણ નહોતા શેકી રહ્યા.''
વિદ્યાર્થીનીએ સરકારની ટીકા કરતા કહ્યું કે, આપ આપની સંસદ ચલાવો, પરંતુ અમારી પાસે સુપ્રીમ કોર્ટ છે. જોકે, સુપ્રીમ કોર્ટથી પણ અમને નિરાશા થઇ છે. માનવાધિકાર અરજીઓ સાંભળવામાં આવી રહી નથી. જજોને સંબોધિત કરતા વિદ્યાર્થીનીએ કહ્યું, આખી દુનિયા આપને આગળ યાદ રાખશે, કેમકે જો કોર્ટ અમારુ નહીં સાંભળે તો કોણ સાંભળશે?