નાગરિકતા સંશોધન કાયદાની (સીએએ)ની વિરુદ્ધ શાહિનબાગમાં થઈ રહેલા પ્રદર્શનમાં બુધવારે આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે હાજરી આપી હતી. તેણે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા પ્રદર્શન કારીઓને સંબોધિત કર્યાં હતા.
CAA-NRCની વિરુદ્ધ શાહિનબાગમાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે
ચંદ્રશેખરે કહ્યું મુંગી બહેરી સરકારે જગાડવા રસ્તા પર આવી છે
ચંદ્રશેખરે કહ્યું કે આ પ્રદર્શને તમામ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
10 દિવસમાં શાહીનબાગ જેવા 5000 પ્રદર્શન સ્થળ બનશે
ચંદ્રશેખરે પ્રદર્શન કારીઓને સંબોધતા કહ્યું હતું કે ‘અત્યાર સુધી આપણે જલિયાવાલા બાગ વિશે સાંભળ્યું હતું. હવે શાહીનબાગ સાંભળ્યું છે. મહત્વની વાત એ છે કે આ રાજકીય આંદોલન નથી. આવા આંદોલનો વારંવાર નથી થતાં. હવે આવનારા 10 દિવસમાં શાહીનબાગ જેવા 5000 પ્રદર્શન સ્થળ બનશે.’
આ મુંગી બહેરી સરકાર કેમ મહિલાઓને નથી સાંભળી રહી
ચંદ્રશેખરે કહ્યું હતું કે જ્યારે સારા અને ઈમાનદાર લોકો રસ્તા પર આવે છે. ત્યારે શું થઈ શકે છે તે શાહિનબાગનાં લોકોએ સરકારે બતાવી દીધું છે. હું જેલમાં હતો ત્યારે રોજ અખબાર જોતો કે મારી બહેનો પર લાઠી ચાર્જ તો નથી થયો ને? આ પ્રદર્શને તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. મોદી સરકાર પર કટાક્ષ કરતા ભીમ આર્મી ચીફે કહ્યું કે આ મુંગી બહેરી સરકાર તેને જગાડવા માટે આજે લાખો મા -બહેનો રસ્તા પર પ્રદર્શન માટે આવી છે. પહેલા આપણી જનતાએ અંગ્રેજોને ભગાડ્યા હતા હવે કાળા અંગ્રેજોને ભગાડીશે.
સીએએ બંધારણ વિરોધી કાયદો
તેમણે કહ્યું હતું કે, ‘વર્ષ 1947માં બાબા સાહેબ આંબેડકરે હિંદુ કોર્ટ બિલ લઈને આવ્યાં હતાં. જેનાંથી મહિલાઓને અધિકાર મળ્યો. તેમના મનમાં કોઈ લાલચ નહોતી. તેમનું સપનું હતુ કે દેશનું નેતૃત્વ મહિલાઓ કરે. આજે મહિલાઓએ મોર્ચો સંભાળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આજે સરકાર અમારી બહેનોની વાત કેમ નથી સાંભળતી. આપણી મહેનત જરુર રંગ લાવશે. જ્યાં સુધી ભીમ આર્મી અને ચંદ્રશેખર છે ત્યાં સુધી બંધારણ વિરોધી ધર્મના આધારે દેશને વેહેંચનારો સીએએનો કાયદો કર્યારેય નહી લાગું પડે.
દિલ્હી પોલીસે ટ્વીટ કરી અપીલ કરી
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે ટ્વીટ કરી શાહીનબાગના પ્રદર્શનકારીઓને પ્રેમથી અપીલ કરી છે કે તે આંદોલન સમાપ્ત કરે. આસપાસનાં લોકો હેરાન થઈ રહ્યાં છે. બાળકોની પરિક્ષા શરુ થવા જઈ રહી છે.