રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વરિષ્ઠ નેતા શરદ પવારે NDA સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. શરદ પવારે કહ્યું કે નાગરિકતા કાયદા એક્ટ (CAA) અને રાષ્ટ્રીય નાગરિક પંજીકરણ (NRC) દેશમાં ચાલી રહેલા બીજા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની ચાલ છે.
શરદ પવારના NDA સરકાર પર આકરા પ્રહાર
બીજા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની સરકારની ચાલ
CAA અને NRC મુદ્દે સરકાર પર સાધ્યું નિશાન
શરદ પવારે કહ્યું કે જે લોકો અલ્પસંખ્યક નહીં પરંતુ જે કોઇ દેશની એક્તા તેમજ પ્રગતિની ચિંતા કરે છે, તેઓ CAA D અને NRC નો વિરોધ કરી રહ્યાં છે. નવો નાગરિકતા કાયદો દેશની ધાર્મિક, સામાજિક એકતા અને એકતાને બગાડવા માટે છે.
NCP નેતા શરદ પવારે કહ્યું કે સુધારેલા કાયદા હેઠળ માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને જ નાગરિકતા કેમ આપવામાં આવશે અને શ્રીલંકાના તામિલોને કેમ નહીં.
શરદ પવારે એક સવાલના જવાબમાં કહ્યું કે બિહાર સહિત NDA ના શાસિત આઠ રાજ્યોએ કાયદો લાગુ કરવાનો ઇન્કાર કરી દીધો છે અને મહારાષ્ટ્રનું પણ આ જ વલણ રહેવું જોઇએ.
શરદ પવારે પૂછ્યું કે CAA ભલે કેન્દ્રીય કાયદો હોય પરંતુ તેને રાજ્યોએ લાગુ કરવાનો છે. પરંતુ શું રાજ્યો પાસે આવું કરવાને લઇને સંશોધન અને સિસ્ટમ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે એલ્ગાર પરિષદ મામલામાં કાર્યકર્તાઓ વિરુદ્ધ પૂણે પોલીસની કાર્યવાહી પર સીટની તપાસ કરવાની માગણી કરી છે.