નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) ને લઈને દેશમાં હોબાળો મચ્યો છે. લોકો તેનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ મુદ્દાઓ પર દેશભરમાં જન જાગૃતિ અભિયાન ચલાવશે.
CAA-NRC મુદ્દે દેશભરમાં હોબાળો
ભાજપ યોજશે દેશભરમાં જન જાગૃતિ અભિયાન
વિવિધ સ્થળે 250 પ્રેસ કોન્ફરન્સનું થશે આયોજન
ભાજપના વચગાળાના પ્રમુખ જે.પી.નડ્ડાએ આજે જન જાગરણ અભિયાન માટે રચાયેલી સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન સમગ્ર દેશમાં 15 દિવસીય કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે જ સમયે, ભાજપ એનઆરસી, સીએએ અને એનપીઆર પર પણ ડોર-ટુ-ડોર પ્રચાર હાથ ધરશે.
250 પ્રેસ કોન્ફરન્સનું થશે આયોજન
ભાજપ ડોર ટુ ડોર અભિયાન દ્વારા 3 કરોડ મુસ્લિમ પરિવારોને સીએએ, એનઆરસી અને એનપીઆર વિશે જણાવાશે. તે જ સમયે, ભાજપ આ મુદ્દાઓ પર 250 પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ સાથે 200-1000 ના જૂથોની મીટીંગો યોજાશે.
દિલ્હીમાં અભિયાન મુદ્દે યોજાઇ બેઠક
આપને જાણાવી દિઇએ કે, દેશમાં એનઆરસી અને સીએએને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો આ મુદ્દાઓ પર સરકારનો વિરોધ કરી રહ્યા છે. આજે મળેલી બેઠકમાં બી.એલ. સંતોષ, મુખ્તાર અબ્બાસ નકવી, કિરણ રિજિજુ, અર્જુનરામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત, અનુરાગ ઠાકુર, દેવેન્દ્ર ફડણવીસ જેવા ભાજપના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.