દેશમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA), NRC અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) ને લઇને ઘમાસાણ મચ્યું છે. ત્યારે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે NPRના મુદ્દા પર બીજેપી પર નિશાન સાધ્યું છે.
અખિલેશ યાદવે NPRના મુદ્દા પર બીજેપી પર નિશાન સાધ્યું
અર્થવ્યવસ્થા ICUમાં પહોંચી ગઇ, NPR નહીં રોજગાર જોઇએ
નિર્દોષ લોકોને સમાજવાદી પાર્ટી મદદ કરશે
અખિલેશ યાદવે કહ્યું છે કે, અમે એનપીઆરનું ફોર્મ નહીં ભરીએ. એ બીજેપી નક્કી ન કરી શકે કે અમે ભારતીયો છીએ કે નહીં. અખિલેશ યાદવે કહ્યું કે, NPR નહીં રોજગાર જોઇએ. એક્સપર્ટ્સનું કહેવું છે કે, અર્થવ્યવસ્થા ICUમાં પહોંચી ગઇ છે.
અખિલેશ યાદવે કહ્યું કે, બીજેપી સરકાર જનતાથી ડરી રહી છે. તેમણે સત્ય લોકો સુધી પહોંચવા દેવા ઇચ્છતા નથી. અમારે એનપીઆર નહીં રોજગાર જોઇએ છે. અન્યાય એટલો વધી ગયો છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુદ્ધા આપવામાં આવી રહી નથી. એક્સપર્ટ્સનું કહેવું છે કે, અર્થવ્યવસ્થા આઇસીયૂમાં પહોંચી ગઇ છે.
Samajwadi Party leader Akhilesh Yadav in Lucknow: If need arises, I will be the first one who will not fill any form, but the question is if you will support or not. Hum nahi bharte NPR, kya karenge aap? pic.twitter.com/Fb0bSnjXYv
પ્રદર્શનકારીઓને લઇને સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યું, નિર્દોષ લોકોના જીવ ગયા છે. સમાજવાદી પાર્ટી તેમની મદદ કરશે. અખિલેશ યાદવે પાર્ટીના યૂથ કાર્યકર્તાઓની મીટિંગમાં કહ્યું કે, અમે NRCનું ફોર્મ નહીં ભરીએ. મહાત્મા ગાંધીએ પોતાના પહેલા આંદોલનમાં કાગળ સળગાવ્યા હતા. અમે પણ આમ કરીશું.