નાગરિકતા સંશોધન કાયદો અને NRC ને લઇને કેન્દ્ર સરકાર પર વિપક્ષ ચોતરફથી હુમલો કરી રહ્યું છે. કેટલાંક રાજ્યોના નેતાઓ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. જો કે એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હવે આ મુદ્દા પર પોતાની રણનીતિ બદલી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હાલમાં આવેલા નિવેદન પરથી એવું લાગી રહ્યું છે.
CAA અને NRCને લઇને મોદી સરકારે બદલી રણનીતિ
મંત્રી અને ભાજપ નેતાઓ વિરોધીઓ પર કરી રહ્યાં છે આકરા પ્રહાર
ભાજપના નેતાઓના બદલાયેલા સૂરને જોતા એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હવે પોતાની રણનીતિ બદલી રહી છે અને એ લોકો પર નિશાન તાકી રહી છે કે જેઓ અત્યાર સુધી ચાલી રહેલા પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યાં હતા અથવા આ મુદ્દાઓનો વિરોધ કરી રહ્યાં હતા.
કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓએ CAA અને NRC વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોને 'અર્બન નક્સલ' અથવા 'ટૂકડા-ટૂકડા ગેંગ' કહીને ટારગેટ કરવાનું શરૂ કરી દીધું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 ડિસેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે અર્બન નક્સલ દ્વારા NRC ના મુદ્દા પર મુસલમાનામાં અફવા ફેલાવામાં આવી રહી છે. કેટલાંક એવા ભણેલા લોકો છે જેને NRC મુદ્દે પૂરી જાણકારી નથી અને એવા લોકો ભ્રમ ફેલાવી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે શહેરોમાં રહેનારા કેટલાક ભણેલા નક્સલી - અર્બન નક્સલી આ અફવા ફેલાવી રહ્યાં છે કે બધા મુસલમાનોને ડિન્ટેશન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે. હું હેરાન છું કે ભણેલા લોગો પણ પૂછી રહ્યાં છે ડિટેન્શન સેન્ટર શું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરૂવારના રોજ વિપક્ષ પર નાગરિકતા સંશોધન એક્ટ પર ભ્રમ ઉભો કરનાર લોકોને ગુમરાહ કરીને વાતાવરણ ડહોળવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે વામપંથી બુદ્ધિજીવીઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે હવે ટુકડે-ટુકડે ગેંગને હરાવાનો સમય આવી ગયો છે.