કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પોલીસવાળાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને ઝૂંપડીઓ તોડી. પોલીસ અને પ્રશાસનનું માનવું છે કે આ ઝૂંપડી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની છે. પરંતુ હવે એ જાણકારી સામે આવી રહી છે કે આ તમામ ઝૂંપડીઓમાં રહેનારા લોકો ભારતીય છે. એટલું જ નહીં તેમની પાસે પૂરતા પૂરાવા પણ છે.
તપાસમાં સામે આવી આ હકીકત
તેમની પાસે નાગરિકતા પ્રમાણપત્ર પણ છે
લોકો અન્ય સગાસંબંધીને ત્યાં થયા શિફ્ટ
બેંગલુરુના કરિયામન્ના અગ્રહારામાં આ ઝૂંપડીમાં 100 ઘર હતા. લગભગ 300 લોકો આ ઝૂંપડીમાં રહેતા હતા. આ ઝૂંપડીઓને ત્યારે પાડી દેવામાં આવી હતી જ્યારે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલ્લીએ એક ટ્વિટ કર્યું. તેમાં દેખાડવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અહીં ગેરકાયદેસર રીતે ભારતીયો રહે છે.
તપાસમાં સામે આવી આ હકીકત
જ્યારે તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે જે લોકોના ઘર તોડવામાં આવ્યા છે તે દરેક આસામ, ત્રિપુરા અને ઉત્તરી કર્ણાટકના રહેવાસી છે. આ દરેકની પાસે ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ અને મતદાન કાર્ડ છે. તેમની પાસે ભારતીય નાગરિકતાનું પ્રમાણ છે. તેમાંથી કેટલાક આસામમાં ચાલી રહેલી NRCની યાદીમાં સામેલ છે. જ્યારે લોકોએ સરકારને ફરિયાદ કરી તો ખ્યાલ આવ્યો કે ઝૂંપડીઓ તોડવાનો આદેશ એ વ્યક્તિએ આપ્યો હતો જેની પાસે આ આદેશ આપવાનો અધિકાર નથી.
લોકો અન્ય સગાસંબંધીને ત્યાં થયા શિફ્ટ
ઝૂંપડીઓ તોડ્યા બાદ કેટલાક લોકો પોતાના સગાવહાલાને ત્યાં સામાન સાથે જતા રહ્યા. કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મહાનગર પાલિકાના જે કર્મચારીઓ અને પોલીસવાળાએ આ કામ કર્યું છે તેની પર કડક કાર્યવાહી કરાય.
અહીં રહેનારાઓનું કહેવું છે કે અમે અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ. અમારી પાસે ભારતીય નાગરિક હોવાના પ્રમાણ પણ છે. આ ઝૂંપડીમાં દેશમાંથી આવેલા લોકો રહે છે પરંતુ ત્યારે પણ તેમને ગેરકાયદેસર નાગરિકોની જેમ જ જોવામાં આવે છે.