ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. CAA અને NRCનાં સમર્થનમા ભાજપ પ્રચાર કરશે. આ અંગે ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. 24 ડિસેમ્બરે જીલ્લાઓ, મહાનગરોમાં એકતારેલી યોજાશે. મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદમાં એકતારેલીમાં હાજર રહી શકે છે. 25 ડિસેમ્બરે બૌદ્ધિક સંમેલન યોજાશે. બૌદ્ધિક લોકોનું સંમેલન કરીને CAA અને NRC મુદે જાગૃત કરવામાં આવશે. 29 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ઘર-ઘર સુધી પ્રચાર કરવામાં આવશે.
CAA અને NRCનાં સમર્થનમા ભાજપ કરશે પ્રચાર
CM અને ડેપ્યુટી સી.એમ.ની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી
સરકાર અને ભારતીય જનતા પાર્ટી અલગ નથીઃ વાઘાણી
ભાજપની આજે કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. જેમા સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. ત્યારે બેઠક બાદ જીતુ વાઘાણીએ આગામી કાર્યક્રમોને લઇ કહ્યું કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી અલગ નથી. સરકાર અને ભાજપ બંને બેઠક કરીને જ નિર્ણય લે છે. સરકારે સરણાર્થીઓ માટે જ નિર્ણય લીધો છે.
25 ડિસેમ્બરે અનેક કાર્યક્રમ યોજવામાં આવશેઃ વાઘાણી
આગામી 25 ડિસેમ્બરે અનેક કાર્યક્રમ યોજવામાં આવશે. કૃષિ સંમેલન રાજ્યમાં 7 જગ્યાએ કરાશે. જીતુ વાઘાણીએ કહ્યું કે 29 ડિસેમ્બરથી 12 જન્યુઆરી સુધી જન જાગૃતિનું અભિયાન કરાશે. બૌદ્ધિક સંમલેન કરવામાં આવશે. મન કી બાતમાં કાર્યકરો કાયદા વિશે લોકોને જણાવશે. જેમાં લોકોને નાગરિકતા કાયદાની જાણકારી અપાશે.
નાગરિકતા સંશોધન એક્ટ-CAA સંદર્ભે જનજાગરણ અભિયાનના આયોજન અંગે, આગામી કાર્યક્રમો વિશે તેમજ પ્રદેશ ભાજપા દ્વારા અગાઉ યોજાયેલ કાર્યક્રમોની સમીક્ષા કરવા પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ બેઠક યોજવામાં આવી. pic.twitter.com/z8HkDWL9k4
કોંગ્રેસ ચોક્કસ કોમના લોકોને સાથે રાખી ખોટો પ્રચાર કરે છેઃ વાઘાણી
CAA મુદ્દે થઇ રહેલા વિરોધને લઇ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. જીતુ વાઘાણીએ કહ્યું કે CAAને લઇ કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. કોંગ્રેસ ચોક્કસ કોમના લોકોને સાથે રાખી ખોટો પ્રચાર કરે છે. CAAનો સાચો અર્થ ભાજપ લોકો સુધી પહોંચાડશે. જીતુ વાઘાણીએ કહ્યું કે જામિયા યુનિવર્સિટીમાં ખોટો પ્રચાર કરવામાં આવ્યો. કોંગ્રેય યુવાનોને કાયદા વિશે ગેરમાર્ગે દોરી રહી છે. સાથે જ તઓએ શહેઝાદ પઠાણની પોસ્ટ પર કહ્યું કે કોંગ્રેસ લાજવાની જગ્યા એ ગાજે છે. કોંગ્રેસના કોર્પોરેટરે આ પરાક્રમ કર્યું છે ત્યારે કોંગ્રેસે જ આ અંગે જવાબ આપવો પડશે.