દેશ હાલ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે. ત્યારે પૂર્વ પીએમ મનમોહનસિંહે CAAને લઇ થઇ રહેલો વિરોધ, કોરોના વાયરસનું સંકટ અને આર્થિક સ્થિતિને લઇ પીએમ મોદીને ત્રણ સલાહ આપી છે. તેઓ કહ્યું કે આજે દેશ કોરોના વાયરસ, આર્થિક સુસ્તી અને વિરોધ અને હિંસાનો સામનો કરી રહ્યો છે.
પૂર્વ PM મનમોહનસિંહે મોદી સરકારને આપી સલાહ
દેશ સામેના 3 પડકારોને સમજાવતા આપી સલાહ
સંકટની ક્ષણ પણ બની શકે છે અવસરની ક્ષણ
ત્યારે પીએમ મોદીએ પોતાના કાર્યોથી લોકોને વિશ્વાસ અપાવવો પડશે. ભારત સામે પણ કોરોનાનો ખતરો છે. તેથી સરકારે તૈયાર રહેવું જોઇએ અને કોરોનાને રોકવા માટેના તમામ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
CAAને લઇને આપી સલાહ
આ સાથે જ વિરોધ પ્રદર્શન અને હિંસાને રોકવા માટે CAAમાં સંશોધન કરવું અથવા તો તેને પરત લેવું જોઇએ. અને આર્થિક સુસ્તીને લઇ સરકારે ખરીદશક્તિને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
Dear PM,
Here's some sound advice from Former PM Dr. Manmohan Singh on how to fix your own mess. It's time you start listening to real economists.#NoBankpic.twitter.com/ET06N6H75u
ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે પોતાની કોલમમાં કહ્યું કે આજે દેશ કોરોના વાયરસ, આર્થિક સુસ્તી, વિરોધ અને હિંસાના પડકારનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાના કાર્યો થકી આ ભરોસો આપવો જોઇએ કે, દેશ પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ છે. તેમણે ચીન, ઇટાલી અને અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે પણ કોરોનાની આફત સામે લડવા તૈયાર રહેવું પડશે.
મનમોહન સિંહે આપી સલાહ
પૂર્વ પ્રધાનમંત્રીએ આ પડકારોનો સામનો કરવા માટે કોરોનાને રોકવા માટેના દરેક પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી અને વિરોધ-હિંસાને રોકવા માટે નાગરિકત્વના કાયદામાં સુધારો કરવો અથવા પાછો ખેંચવાનું કહ્યું હતું. આર્થિક મંદીનો સામનો કરવા માટે તેમણે વપરાશને પ્રોત્સાહન આપવાની, નાણાકીય ઉત્તેજના યોજના પર સાવચેત ધ્યાન આપવાની સલાહ પણ આપી છે. Dr. સિંહે ન્યાય પ્રણાલી અને મીડિયા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે હાલની ઘટનાઓને ન્યાયી ઠેરવવા હિંસાની ભૂતકાળની ઘટનાઓનાં દાખલા આપવું યોગ્ય નથી. તેમણે કહ્યું છે કે થોડા વર્ષોમાં દેશ વૈશ્વિક મંચ પર ઝડપથી સરકી ગયો છે.