કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંશોધિત નાગરિકતા કાયદો (CAA)ને વિભાજનકારી બતાવતા કહ્યું છે કે, તેનો ઉદ્દેશ્ય ભારતીયોને ધાર્મિક આધાર પર વહેંચવાનો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં તેઓએ કહ્યું કે, કોંગ્રેસના કરોડો કાર્યકર્તા સમાનતા, ન્યાય અને સન્માન માટે સંઘર્ષમાં લોકોના ખભેથી ખભો મિલાવી સાથે ઉભા રહેશે. જોકે આ બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામેલ નહોતા થયા.
સોનિયા ગાંધીએ CAA, અર્થવ્યવસ્થાની સ્થિતિ પર PM મોદી સરકાર પર હુમલો બોલ્યો
સોનિયા ગાંધીએ કહ્યું કે, 'નવા વર્ષની શરૂઆત સંઘર્ષો, આર્થિક સમસ્યાઓ સાથે થઇ
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચાર પ્રસ્તાવ પાસ કરાયા છે
સોનિયા ગાંધીએ CAAની વિરુદ્ધ પ્રદર્શનો અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને શનિવારે નરેન્દ્ર મોદી સરકાર પર જબરજસ્ત હુમલો બોલ્યો અને કહ્યું કે જેએનયુ (JNU) અને અન્ય જગ્યાઓ પર યુવાઓ અને વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ માટે ઉચ્ચ સ્તરીય આયોગનું ગઠન કરવું જોઇએ.
વિદ્યાર્થીઓ પર હુમલાની તપાસ માટે બને વિશેષાધિકાર આયોગ
સોનિયા ગાંધીએ કહ્યું કે, 'નવા વર્ષની શરૂઆત સંઘર્ષો, અધિનાયકવાદ, આર્થિક સમસ્યાઓ, ગૂના સાથે થઇ છે. તેઓએ CAAને ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાયદો બતાવતા દાવો કર્યો છે કે, તેનો ઉદ્દેશ્ય ભારતના લોકોને ધાર્મિક આધારે વહેંચવાનો છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, જેએનયૂ, જામિયા મિલિયા ઇસ્લામિયા અને કેટલીક અન્ય જગ્યાઓ પર યુવાઓ અને વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓની તપાસ કરવા માટે વિષેષાધિકાર આયોગનું ગઠન કરવામાં આવે. આ સાથે તેઓએ ખાડી ક્ષેત્રના ઘટનાક્રમને લઇને પણ ચિંચા વ્યક્ત કરી.
ઘણા પ્રસ્તાવ પાસ કરાયા
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચાર પ્રસ્તાવ પાસ કરાયા છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર અને પીએમ મોદીએ યુવાનોના વિશ્વાસને તોડ્યો છે. તેઓએ વિદ્યાર્થીઓ અને યુવાનોની અવાજ દબાવવા માટે ક્રૂરતાનો ઉપયોગ કર્યો. તેમા એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્વતંત્ર અને રચનાત્મક વિચાર વાળી સંસ્થાઓ પર હુમલા માટે ષડયંત્ર રચવામાં આવ્યું. કોંગ્રેસ કાર્ય સમિતિએ જમ્મૂ-કાશ્મીરમાં પ્રતિબંધ હટાવવા અને નાગરિક સ્વતંત્રતાની સ્થાપના કરવાની અપીલ કરી.
આ મુદ્દા પર ચર્ચા
કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે, સીડબલ્યૂસીની બેઠકમાં સીએએને લઇને વિરોધ પ્રદર્શનો, જેએનયુમાં હુમલા બાદ પેદા થયેલી સ્થિતિ અને આર્થિક મંદી, બેરોજગારી અને ખેડૂતોની સ્થિતિ પર ચર્ચા થઇ.