CAA અને જમ્મુ- કાશ્મીરનાં મુદ્દા પર ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સફળતા મળી છે. યુરોપિયન સાંસદમાં આજે સીએએનાં વિરોધમાં રજુ કરવામાં આવેલા પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું. જે ટળી ગયું છે. હવે આ મતદાન 31 માર્ચનાં રોજ થશે. જાણો ભારતની કુટનીતિએ કેવી રીતે ભૂમિકા ભજવી છે.
CAAનાં મુદ્દા પર યુરોપિયન સાંસદમાં મતદાન થવાનું હતું
CAA પર નું મતદાન માર્ચ સુધી ટળ્યું
ભારતે આ અંગે રોકળું પકડાવ્યું હતું
ભારતનાં મિત્રો પાકિસ્તાની મિત્રો પર ભારે પડ્યા
ત્યારે 30 જાન્યુઆરી CAAનાં મુદ્દા પર યુરોપિયન સાંસદમાં મતદાન થવાનું હતું. જે ટળી ગયું છે. હવે આ વોટિંગ 31 માર્ચનાં રોજ થવાનું છે. યુરોપિયન સાંસદે એક નિવેદનમાં કહ્યું કે બ્રસેલ્સમાં આજે સત્રમાં MEPsનાં નિર્ણય પછી CAAનાં પ્રસ્તાવમાં મતદાન માર્ચ સુધી સ્થગિત કરવામાં આવે છે. મતદાન ટાળનાં જવાબમાં સરકારી સૂત્રોએ કહ્યું કે ભારતનાં મિત્રો યુરોપિયન સાંસદમાં પાકિસ્તાની મિત્રો પર ભારે પડ્યાં હતાં.
#Breaking#EU Parl sources:
Rapporteur Gahler moved amendment at opening of session since Indian Supreme Court is still deliberating the legality of the #CAA draft law and may also allow us to ques Indian ministers in coming weeks.
CAA અને જમ્મુ કાશ્મીર વિરોધમાં પર યુરોપિયન સંઘમાં પ્રસ્તાવ
નાગરિક્તા સંશોધન કાયદો (CAA)નાં મુદ્દાની વિરુદ્ધમાં યુરોપિયન સાંસદમાં સાંસદ સભ્યો દ્વારા એક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં યુરોપિયન સાંસદમાં 751 સાંસદોમાંથી 626 સાંસદ કુલ 6 પ્રસ્તાવ CAA અને જમ્મુ કાશ્મીરના સંબંધમાં લઈને આવ્યાં છે. ભારતનાં નાગરિક્તા કાયદા પર યુરોપિયન યુનિયનના સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે કાયદાનાં માધ્યમથી મોટા સ્તર પર લોકોની નાગરિક્તા છીનવી શકાય એમ છે. જેનાં કારણે કેટલાય લોકો રાજ્યવિહીન થઈ જશે એવી ચિંતા વ્યક્ત કરી હતીં.
ભારતે રોકડું પકડાવ્યું હતું યુરોપિયન સંઘને
યુરોપિયન સાંસદોનાં પ્રસ્તાવનાં પગલે ભારતે તેને રોકડું પકડાવતા કહ્યું હતું કે આ અમારો આંતરિક મુદ્દો છે. તો બીજી તરફ ભારતનાં સ્પીકર ઓમ બિરલાએ યુરોપિયન સંઘનાં પ્રેસિડન્ટને પત્ર લખી કહ્યું હતું કે આ જોઈન્ટ મોશન ફોર રેજોલ્યૂશન’ રજુ કરવામાં આવ્યું છે. આ કાયદામાં અમારા પડોશી દેશોમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલાને સરળતાથી નાગરિક્તા આપવાની જોગવાઈ છે. આનો હેતું નાગરિક્તા છીનવવાનો નથી.’ જેને પગલે યુરોપિયન સંઘે સભ્યો અને તેના મતદાનની પ્રક્રિયાને પોતાને અલગ કરી નાંખ્યું હતું. EU નાં પ્રવક્તાએ કહ્યું કે યુરોપિયન સાંસદ અને તેમનાં સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલા મુદ્દા‘યુરોપિયન સંઘ’નાં અધિકારમાં નથી. ઉલ્લેખીય છે કે આ બાદ આ મતદાન 30 જાન્યુઆરીએ થવાનું હતું.