નાગરિકતા સંશોધન કાયદાને લઇને દેશભરના ઘણા સ્થાનો પર વિરોધ પ્રદર્શન થયું. દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન યોગેન્દ્ર યાદવ, ઉમર ખાલિદ, સંદીપ દીક્ષિત, સીતારામ યેચુરી સહિત ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. ત્યારે બેંગાલુરુમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા.
દેશભરના ઘણા સ્થાનો પર વિરોધ પ્રદર્શન
નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન
લખનઉમાં યુવકનું ગોળી વાગવાથી મોત થયું
આ દરમિયાન દિલ્હીમાં 20 મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા. જોકે, બાદમાં મોટાભાગના મેટ્રો સ્ટેશન ખોલી દેવામાં આવ્યા. થોડાક સમય માટે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા પણ રોકી દેવાઇ. આ દરમિયાન ઉત્તરપ્રદેશમાં હિંસક દેખાવો થયા. સંભલમાં પ્રદર્શનકારીઓએ બસમાં આગ લગાડી દીધી. જ્યારે લખનઉમાં પોલીસ ચોકીને સળગાવી દેવામાં આવી અને કેટલાક વાહનોને સળગાવી દેવામાં આવ્યા.
મહત્વનું છે કે, ગુજરાતમાં પણ નાગરિકતા કાયદાને લઇને ઉગ્ર પ્રદર્શન થયા, અમદાવાદમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જેમાં 19 જેટલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
મધ્યપ્રદેશના 44 જિલ્લામાં કલમ 144 લાગૂ
મધ્યપ્રદેશમાં વિરોધ-પ્રદર્શનને ધ્યાને લેતા 44 જિલ્લાઓમાં સીઆરપીસીની કલમ 144 લગાવી દેવામાં આવી છે.
Madhya Pradesh: Section-144 of the CrPC (prohibits assembly of more than 4 people in an area) imposed in 44 districts of the state. #CitizenshipAmendmentAct
ઉત્તર પ્રદેશના પોલીસ ડાયરેક્ટર જનરલ ઓપી સિંહે જણાવ્યું કે, લખનઉમાં વિરોધ પ્રદર્શન દરમિયાન 55 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. એસએસપી લખનઉ યોગ્ય કાર્યવાહી કરશે, અમે કોઇને પણ છોડવામાં નહીં આવે.
Uttar Pradesh Director General of Police (DGP), OP Singh in Lucknow: 55 people have been arrested in the city, we are scrutinizing CCTV footage. SSP Lucknow will take appropriate action, we will not spare anyone. #CitizenshipAmendmentActhttps://t.co/3oG9pxpzNb
લખનઉમાં હુસૈનાબાદમાં ઘર્ષણ દરમિયાન મોહમ્મદ વકીલ નામના યુવકનું ગોળી વાગવાથી મોત થઇ ગયું છે. ટ્રોમાં સેન્ટરમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું. યુવકના પેટમાં ગોળી વાગી હતી. મોતના સમાચાર પર ડીજીપી ઓપી સિંહે કહ્યું કે અમારી તરફથી ફાયરિંગ નથી થયું. મને નથી ખબર કે મોત કેવી રીતે થયું.
મેંગલોર હિંસામાં 2ના મોત, ઇન્ટરનેટ સેવા બંધ
લખનઉં બાદ મેંગલોર હિંસામાં પણ 2 લોકોના મોત થયા છે. મેંગલોર પોલીસ કમિશનર પીએસ હર્ષાએ પોલીસ ફાયરિંગમાં 2 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ પહેલા તેમણે જણાવ્યું કે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણમાં 20 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે 2 નાગરિક આઈસીયૂમાં દાખલ હતા. બાદમાં બન્નેના મોત થયા. મહત્વનું છે કે, મેંગલૌરમાં આગામી 38 કલાક માટે ઇન્ટરનેટ બંધ
ફરહાન અખ્તર બોલ્યા, અવાજ ઉઠાવવો અમારો હક
મુંબઇના ઓગસ્ટ ક્રાંતિ મેદાનની રેલીમાં સામેલ અભિનેતા ફરહાન અખ્તરે કહ્યું કે, કોઇપણ મુદ્દા પર વિરોધ કરવો એ આપનો લોકતાંત્રિક હક છે. લોકો પોતાની અવાજ ઉઠાવી રહ્યા છે. મારું માનવું છે કે, જે કંઇપણ થઇ રહ્યું છે તેમાં એક પ્રકારનો ભેદભાવ નજરે પડી રહ્યો છે.
Actor Farhan Akhtar at August Kranti Maidan, Mumbai where protest against #CitizenshipAct is on: To raise your voice against something is democratic right, people are raising their voices & I'm of view that there seems to be a certain amount of discrimination in what is happening pic.twitter.com/97AYTnVaxO
ગુજરાતમાં અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. તેમા ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થયા. મીડિયા રિપોર્ટસ મુજબ કર્ણાટકના મેંગલુરુમાં પોલીસે કરફ્યૂ લગાવી દીધો છે. સાથે જ આખા કર્ણાટકમાં કલમ 144 લગાવી દીધી છે.