સી.આર.પાટીલની રેલી ફરી બની વિવાદનું કેન્દ્ર બની ગઇ છે. કોરોનાના સંકટમાં સૌરાષ્ટ્ર જેવા જ દ્રશ્યો અંબાજીમાં પણ જોવા મળ્યાં. કોવિડ-19ના નિયમોનો સરેઆમ ભંગ થયો જોવા મળ્યો.
અંબાજીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો રોડ શો
ભાજપ દ્વારા સતત કોવિડના નિયમોનું ઉલ્લંઘન
સૌરાષ્ટ્રમાં પાટીલના પ્રવાસ બાદ અનેક નેતાઓ કોરોના સંક્રમિત
સી.આર.પાટીલની રેલી ફરી બની વિવાદનું કેન્દ્ર બની ગઇ છે. કોરોનાના સંકટમાં સૌરાષ્ટ્ર જેવા જ દ્રશ્યો અંબાજીમાં પણ જોવા મળ્યાં. કોવિડ-19ના નિયમોનો સરેઆમ ભંગ થયો જોવા મળ્યો.
કોવિડની ગાઇડ લાઇન મુજબ જાહેર રાજકિય મેળાવડા પર પણ પ્રતિબંધ છે પરંતુ આ કદાવર નેતા કોરોનાના સંક્રમણથી અજાણ હોય અને ગાઇડ લાઇને નિયમો જાણે તેમને લાગૂ ન પડતાં હોય તેમ એક પછી એક આવા જાહેર કાર્યક્રમો યોજી રહ્યાં છે.
સૌરાષ્ટ્રના સી આર પાટિલના પ્રવાસ દરમિયાન પણ આવા જ બેદરકારીના દ્વશ્યો જોવા મળ્યાં હતા. ત્યારબાદ કેટલાક નેતા સંક્રમિત થયા હતા જો કે સી આર પાટિલે સૌરાષ્ટ્રના પ્રવાસમાંથી પણ કંઇ જ સીખ નથી લીધી. તેવું સ્પષ્ટપણે કરી શકાય.
કદાવર નેતાઓની આ નાસમજી કોરોના સંકટમાં ખરેખર ચિંતાજનક છે. આ સ્થિતિ અને દ્રશ્યો જોઇને અનેક સવાલ થાય કે શું આ નેતા કોરોનની સ્થિતિથી અજાણ છે. શું સામાન્ય લોકોને લાગૂ પડતાં નિયમો આ નેતાને લાગૂ પડતાં નથી. જો જનતાના પ્રતિનિધિ જ નહીં સમજે સામાજિક જવાબદારી તો કઇ રીતે હારશે કોરોના.