ગુજરાતમાં હાલ રાજકારણમાં ઉલટફેર જોવા મળી રહ્યા છે. C R Patil એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભીડ ભેગી કરીને કોરોના ફેલાવવા માટે પણ નીમિત્ત બની ચુક્યા છે એવામાં તેમનું એક પાટાપીંડી વાળું નિવેદન જનતાએ રોડ-રસ્તા પર સાથે જોડીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પહેલા રોડ રસ્તા પર પાટા લગાવો ત્યાર બાદ પક્ષમાં પાટી પીંડી કરજો!
C R Patilની રેલી ફરી બની વિવાદનું કેન્દ્ર
પાટાપીંડીની વાતને લોકોએ રોડ રસ્તા સાથે જોડી લીધી
શું કહ્યું પ્રમુખ પટેલે?
ગુજરાતમાં હાલ રાજકારણમાં ઉલટફેર જોવા મળી રહ્યા છે. C R Patil એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભીડ ભેગી કરીને કોરોના ફેલાવવા માટે પણ નીમિત્ત બની ચુક્યા છે એવામાં તેમનું એક પાટાપીંડી વાળું નિવેદન જનતાએ રોડ-રસ્તા પર સાથે જોડીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પહેલા રોડ રસ્તા પર પાટા લગાવો ત્યાર બાદ પક્ષમાં પાટી પીંડી કરજો!
શું કહ્યું પ્રમુખ પટેલે?
ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil એ કાર્યકરોને `પાટીલમંત્ર' આપ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખાતે કાર્યકરોને સંબોધતાં પાટીલે કહ્યું કે મનમાં કોઈ મુંઝવણ હોય તો કહેજો પાટીલે કાર્યકરોમાં મંત્ર ફૂંકતાં જણાવ્યું કે તમારે કોઈ સમસ્યા કે સવાલો હોય તો બંધ કવરમાં મને પહોંચાડજો. તમારી સમસ્યાની પાંટાપીંડીની જરૂર હશે તો તે કરીશું અને ઓપરેશનની જરૂર હશે તો તે કરીશું.
ડીસામાં સીઆર પાટીલની સભામાં સામાજીક અંતરના ધજાગરા
દેશમાં એકબાજુ સતત કોરોનાનું સંક્રમણ વધું રહ્યું છે તો બીજી બાજુ રાજનેતા સતત કોવિડની ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળે છે. બનાસકાંઠાના ડીસામાં સીઆર પાટીલની સભામાં સામાજીક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યાં પાર્ટીપ્લોટના નાના હોલમાં 1000 થી વધુ લોકો એકઠા થયા. સભામાં કેટલાકે લોકો તો એવા પણ હતા જેમને માસ્ક પણ ન હતા પહેર્યાં. આ સીન જોઇને સવાલ ચોક્કસ થાય કે શું. શુ ભાજપના નેતાઓ કોઈ જ કાયદાઓ નથી લાગૂ પડતા. અઙીં પોલીસની હાજરીમાં સામાજીક અંતર નો ભંગ થતો જોવા મળ્યો. નિયમોનો ભંગ છતાં પોલીસ પણ કાર્યવાહી કરતા જોવા મળતી નથી. સામાન્ય જનતાને માસ્ક વગર દેખાય 1 હજારનો દંડ ફટકાય છે. જ્યારે ભાજપના નેતા બિન્દાસ્ત માસ્ક વિના ફરતા જોવા મળે છે.
સી.આર.પાટીલની રેલી ફરી બની વિવાદનું કેન્દ્ર
સી.આર.પાટીલની રેલી ફરી બની વિવાદનું કેન્દ્ર બની ગઇ છે. કોરોનાના સંકટમાં સૌરાષ્ટ્ર જેવા જ દ્રશ્યો અંબાજીમાં પણ જોવા મળ્યાં. કોવિડ-19ના નિયમોનો સરેઆમ ભંગ થયો જોવા મળ્યો. કોવિડની ગાઇડ લાઇન મુજબ જાહેર રાજકિય મેળાવડા પર પણ પ્રતિબંધ છે પરંતુ આ કદાવર નેતા કોરોનાના સંક્રમણથી અજાણ હોય અને ગાઇડ લાઇને નિયમો જાણે તેમને લાગૂ ન પડતાં હોય તેમ એક પછી એક આવા જાહેર કાર્યક્રમો યોજી રહ્યાં છે. સૌરાષ્ટ્રના સી આર પાટિલના પ્રવાસ દરમિયાન પણ આવા જ બેદરકારીના દ્વશ્યો જોવા મળ્યાં હતા. ત્યારબાદ કેટલાક નેતા સંક્રમિત થયા હતા જો કે સી આર પાટિલે સૌરાષ્ટ્રના પ્રવાસમાંથી પણ કંઇ જ સીખ નથી લીધી. તેવું સ્પષ્ટપણે કરી શકાય. કદાવર નેતાઓની આ નાસમજી કોરોના સંકટમાં ખરેખર ચિંતાજનક છે. આ સ્થિતિ અને દ્રશ્યો જોઇને અનેક સવાલ થાય કે શું આ નેતા કોરોનની સ્થિતિથી અજાણ છે. શું સામાન્ય લોકોને લાગૂ પડતાં નિયમો આ નેતાને લાગૂ પડતાં નથી. જો જનતાના પ્રતિનિધિ જ નહીં સમજે સામાજિક જવાબદારી તો કઇ રીતે હારશે કોરોના.