ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સુરત મેયરને પત્ર લખ્યો છે. 25 ચો.મી સુધીની મિલકત વેરો ઘટાડવા રજૂઆત કરી છે.
સી.આર.પાટીલનો સુરતના મેયરને પત્ર
25 ચો.મી.સુધીની મિલકત ઉપર વેરો ઘટાડવા રજૂઆત
અનેક રહેણાંક મકાન, વાણિજ્યિક મિલકતને લાભ થશે
80 હજાર જેટલા રહેણાંક માલિકોને આનો લાભ મળશે જ્યારે 1.60 લાખ વાણિજ્ય મિલકતોને પણ આનાથી લાભ થશે. મનપાએ 15 ચો.મી સુધી રાહત આપવાની જાહેરાત કરી હતી. વેરો ઘટશે તો રૂ.30-40 કરોડ માફ થશે.
આપે ચૂંટણી ઢંઢેરામાં કહ્યુ હતુ
સ્થાયી સમિતિએ બે દિવસ પહેલા મંજુર કરેલા બજેટ મુસદ્દામાં આમ આદમી પાર્ટીના મેનીફેસ્ટોનો અમલ કરતા હોય તેમ શહેરમાં 15 ચોરસ મીટર સુધીની રહેણાંક મિલકતોમાં વેરા અને યુઝર ચાર્જ માફ કરી દેવાની જોગવાઈ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે ભાજપ પ્રમુખ સી આર પાટીલે પણ આ નિર્ણયને આવકાર્યો હતો. 25 ચોરસ મીટર સુધીની રહેણાંક મિલકતોમાં 50 ટકા અને કોમર્શિયલ મિલકતોમાં 25 ટકા વેરા-યુઝર ચાર્ઝ માફ કરવાની ભલામણ કરતો પત્ર સ્થાયી સમિતીના ચેરમેનને લખ્યો છે. ત્યારે હવે સુરત મનપાના બજેટમાં આ લાભ ચોક્કસ મળશે તેવી સંભાવના સેવાઈ રહી છે.