આડે વડોદરામાં C R Patil ના પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે ભાજપના કાર્યકરો તેમને મળવા કાર્યલય પહોંચ્યા હતા જેમાં ભાજપના સાંસદ રંજન ભટ્ટ પણ પહોંચ્યા હતા. આ અવસરને વધુ યાદગાર બનાવવા માટે રંજન ભટ્ટ દ્વારા એક મહત્વની પહેલ કરવામાં આવી હતી.
સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક દીકરીઓને આપી હતી. સી.આર પાટીલે 50 દીકરીઓને આ પાસબુક આપી છે જેમાં સાંસદ રંજન ભટ્ટે 5.25 લાખના ખર્ચે ખાતા ખોલાવ્યા છે. 2100 દીકરીઓના પોસ્ટમાં ખાતા ખોલવામાં આવ્યા છે. દરેક દીકરીના ખાતામાં 250 રૂપિયા ભર્યા હતા.
શું છે આ યોજના?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટૅક્સની છૂટ પણ મળે છે. દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દીકરીના ભણતર અને તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો તે માટે મોદી સરકાર દરેક કદમ પર તમારી સાથે છે. દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે મોદી સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે.
સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે
આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 15 મહિનાની અંદર જ દેશમાં 76 લાખ સુકન્યા અકાઉન્ટ ખુલ્યાં છે અને તેમાં 2,800 કરોડ રૂપિયા જમા થયા છે.
શું છે ખાસિયત ?
દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
જમા રકમ પર વાર્ષિક ૯.3 ટકા હિસાબે વ્યાજ મળે છે.
નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.