રાજકોટના જેતલસરની સૃષ્ટિ રૈયાણીની હત્યાને પગલે જયેશ રાદડિયા સહિત વિપક્ષના નેતાઓ અને ભાજપના પ્રદેશ પ્રમુખ રાજકોટ પરિવારને સાંત્વના આપવા આવી પહોંચ્યા હતા.
જેતલસરમાં સગીરાની હત્યાનો મામલો
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જેતલસર પહોંચ્યા
સીઆર પાટીલે જેતલસરની ઘટના પર દુખ વ્યક્ત કર્યુ
રાજકોટના જેતલસરની સગીરના હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે જેતલસર આવી પહોંચ્યા હતા. દીકરીના પરિવાર સાથે મુલાકાત કરશે. પાટીલ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને પરિવાર સાથે વાતચીત કરી હતી.
શું કહ્યુ C R Patil એ?
જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે જરૂરી છે. જયેશ રાદડિયા સતત પરિવાર સાથે સંપર્કમાં છે. આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. અને તેના સાથીદારોને પણ પકડી પાડીશું. દીકરીના પિતાની એક જ લાગણી છે કે તેમની દીકરીને ન્યાય મળવી જોઈએ. બીજી વાર કોઈ આવું કરવાની હિંમત ન કરે તેવો દાખલો બેસાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈ તમામ તંત્ર ધ્યાન આપી રહ્યુ છે.
જેતલપુરમાં બની ભયાનક ઘટના
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બે દિવસ પહેલા એક યુવતીની સરા જાહેર હત્યા તેના ઘરે જઈને કરવામાં આવી હતી. જેતલસર ગામના પાણીના ટાકા પાસે રહેતા દીકરી દીકરીને તેના ઘરે જ જયેશ ગિરધર સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સાથે મરનારના ભાઈ હર્ષને પણ છરીના ઘા મારીને ઘાયલ ર્ક્યો હતો. ઘટનાના પગલે જેતપુર તાલુકા પોલીસ ગણતરીની કલાકોમાં જ જયેશ ગિરધરને પકડી પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી