દેશની સૌથી મોટી એડટેક કંપની Byju's 1000થી વધારે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે જેમાં મોટાભાગે સેલ્સ અને માર્કેટિંગ ટીમનાં લોકો સમાવિષ્ટ છે.
દેશની મોટી કંપની Byju's કરશે છટણી
1000થી વધારે કર્મચારીઓને કરશે નોકરીમુક્ત
સેલ્સ અને માર્કેટિંગ ટીમનાં લોકો સમાવિષ્ટ
બાયજૂ રવીંદ્રનની અધ્યક્ષતાવાળી Byju'sએ ઓક્ટોબર 2022માં પોતાના વર્કફોર્સમાંથી આશરે 2500 કર્મચારીઓની છટણી કરવાનાં સંકેત આપ્યાં હતાં અને વર્ષ 2023ની શરૂઆતમાં જ કંપનીએ હજારો કર્મચારીઓને નોકરીમુક્ત કર્યાં હતાં. હવે ફરી એકવાર આ કંપની 1000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. માહિતી અનુસાર મોટાભાગનાં કર્મચારીઓ સેલ્સ અને માર્કેટિંગ ટીમમાં જોડાયેલા છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ ચેનલપ્લે અને રેંડસ્ટેંડ જેવી કંપનીઓનાં થર્ડ પાર્ટી પેરોલ પર છે.
છટણીનો સેકન્ડ રાઉન્ડ
વૈશ્વિક સ્તર પર વધી રહેલી મંદીની અસરને લીધે દુનિયાભરની વિવિધ નાની-મોટી તમામ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે ભારતની મોટી કંપની Byju's પોતાની વર્કફોર્સને ઓછી કરવા માટે છટણીનો સેકન્ડ રાઉન્ડ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. માહિતી અનુસાર કંપની તરફથી 1000થી વધારે કર્મચારીઓની લિસ્ટ તૈયાર કરી દેવામાં આવી છે.
— Dr Aniruddha Malpani, MD (@malpani) June 6, 2023
વ્યાજ ન ચૂકવી શકવાને લીધે થશે છટણી
કંપનીએ આ પગલું આ અઠવાડિયાની શરૂઆતમાં 1.2 અરબ ડોલરનાં TLB પર લાગતાં 40 મિલિયન ડોલરનાં વ્યાજની ચૂકવણી ન કરી શકવાને લીધે લીધું છે. આ મામલામાં બાયજૂએ અમેરિકી કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. મીડિયાની એક રિપોર્ટ અનુસાર છટણી બાદ કંપનીની માર્કેટિંગ ટીમને સૌથી વધુ નુક્સાન પહોંચશે.