વનડે ક્રિકેટમાં કોહલીની આ 46મી સદી હતી અને કિંગ કોહલી હવે સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડથી માત્ર 3 સદી દૂર છે
કિંગ કોહલી જૂના રંગમાં દેખાવા લાગ્યો
સચિનનો રેકોર્ડ તોડવા કોહલી ફક્ત 3 સદી દૂર
સચિનના રેકોર્ડ તોડવા વિશે સુનીલ ગાવસ્કરે કહી આ વાત
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની ODI સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે ત્રીજી વનડેમાં શ્રીલંકાને 317 રને હરાવ્યું છે. ODI ઈતિહાસમાં આ સૌથી મોટી જીત ગણાવામાં આવે છે. ભારતે 317 રનથી શ્રીલંકાને હરાવી શ્રેણી 3-0થી જીતી છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા એ શ્રીલંકાને 391 રનના ટાર્ગેટનો આપ્યો હતો જે સામે શ્રીલંકાની ટીમ 73 રનમાં સમેટાઈ ગઈ હતી.
2️⃣8️⃣3️⃣ runs in three matches with a top-score of 1️⃣6️⃣6️⃣* 👌👌
Congratulations to @imVkohli on winning the Player of the Series award 👏👏
કિંગ કોહલી જૂના રંગમાં દેખાવા લાગ્યો
વિરાટ કોહલી ફરી એકવાર પોતાના જૂના રંગમાં દેખાવા લાગ્યો છે અને સતત પોતાના બેટથી સદી ફટકારી રહ્યો છે. કોહલીએ પોતાનું વિસ્ફોટક ફોર્મ જારી રાખતાં રવિવારે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં સદી ફટકારી હતી. 10 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 85 બોલમાં સદી ફટકારતાં જ કોહલીની ઈન્ટરનેશનલ કરિયરમાં 46 સદી પૂરી થઈ છે. ભારતીય ઇનિંગ્સમાં વિરાટ કોહલી આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.
સચિનનો રેકોર્ડ તોડવા કોહલી ફક્ત 3 સદી દૂર
જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ માત્ર ODI ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે એ સાથે જ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે પણ આ મેચ ઘણી ખાસ રહી છે. આ મેચમાં તેણે 110 બોલમાં 166 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જેમાં તેને 8 સિક્સ અને 13 ફોર ફટકારી હતી. જે તેની ODI કારકિર્દીનો બીજો સર્વોચ્ચ સ્કોર છે. વનડે ક્રિકેટમાં કોહલીની આ 46મી સદી હતી. જણાવી દઈએ કે કિંગ કોહલી હવે સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડથી માત્ર 3 સદી દૂર છે અને કોહલી જે પ્રકારના ફોર્મમાં છે એ જોઈને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે સચિનના રેકોર્ડને પાછળ છોડી દેશે. આ સાથે જ જ્યારે આંતરરાષ્ટ્રીય સદીઓની વાત કરવામાં આવે તો કોહલીની આ 74મી સદી છે અને તે સચિનના 100 સદીના રેકોર્ડથી 26 સદી દૂર છે.
સચિનના રેકોર્ડ તોડવા પર સુનીલ ગાવસ્કરે કહી આ વાત
આ વાતની હાલ દરેક જયહ્યાં પર ચર્ચા ચાલી રહી છે અને મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ વિરાટના આ ફોર્મ અને સચિનના રેકોર્ડને પાછળ છોડી દેવાની શક્યતાઓને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વાત પર એમને પોતાનો મંતવ્ય રાખતા કહ્યું હતું કે વિરાટ સચિનના 100 સદીના રેકોર્ડને સરળતાથી પાછળ છોડી દેશ પણ સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે આ માટે કોહલીએ 40 વર્ષ સુધી ક્રિકેટ રમવું પડશે.
જણાવી દઈએ કે હાલમાં વિરાટ કોહલી 34 વર્ષનો છે અને સુનીલ ગાવસ્કરના મતે તેણે વધુ 6 વર્ષ ક્રિકેટ રમવું પડશે. જો કે હાલની પરિસ્થિતિ જોઈને એ શક્ય બને તેવું નથી લાગી રહ્યું. રિપોર્ટ્સની માનીએ તો હાલમાં વિરાટ કોહલીને T20 ક્રિકેટથી દૂર રાખવાની વાતો સામે આવી રહી છે અને એ સાથે જ વિરાટ કોહલીનું નામ શ્રીલંકા સામેની ટી20 સીરીઝ અને હવે ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં ટીમમાં શામેલ કરવામાં આવ્યું નથી.
જો એવું થશે કે હવે BCCI અને ટીમ મેનેજમેન્ટે ટી-20 ક્રિકેટમાં યુવા ખેલાડીઓને તક આપશે એનએ જૂના ખેલાડીઓને મોકો નહીં આપે તો વિરાટ પાસે માત્ર ટેસ્ટ અને ODI ક્રિકેટનું જ ફોર્મેટ બચશે.