ક્યારેય એવુ સાંભળ્યું છે કે મરેલો માણસ પાછો આવે? માણસ અમરત્વ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યો છે અને દાવો છે કે કેટલાક લોકો અમરત્વ પામી ચૂક્યા છે.
મરેલા લોકો ધરતી પર પરત આવશે
માણસ થઇ જશે અમર
રશિયાના વૈજ્ઞાનિકે કર્યો દાવો
અમરત્વ શું હોય છે તે હજુ પણ માણસો માટે એક પઝલ છે. રુસી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો માણસ સાચી દિશામાં ચાલશે તો તે અમરત્વ પ્રાપ્ત કરશે અને પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને મરેલા માણસોને પણ પાછા બોલાવી શકશે.
મરેલા માણસો પાછા આવી શકશે
રુસી વૈજ્ઞાનિક એલેક્સેઇ તુર્ચિન એક ટ્રાંસહ્યુમનિસ્ટ છે. તેણે કહ્યું કે માણસ પોતાના પ્રિયજનોને પરત બોલાવી શકશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે તેના માટે માણસે પોતાની બધી જ ગતિવિધીઓ પર નજર રાખવી પડશે. યાદો, અનુભવો વગેરેને રેકોર્ડ કરવી પડશે. આ રેકોર્ડને એક સર્વરમાં સ્ટોર કરવાનુ રહેશે બાદમાં આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ દ્વારા જીવનદાન આપી શકાશે.
રિસર્ચ પેપર આવ્યુ સામે
તુર્ચિન પોતાની જાતને ટ્રાંસહ્યુનિસ્ટ કહે છે. તેમણે અમરતાના સિદ્ધાંતો પર ઘણા પુસ્તક લખ્યા છે. હવે તેમણે અમરતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના પર એક રિસર્ચ પેપર પણ પ્રકાશિત કર્યુ છે જેનુ નામ Classification of Approaches to Technological Resurrection for the Foundation Science for Life Extension રાખવામાં આવ્યું છે.
મોત તો આવશે જ
ડેલી સ્ટારની રિપોર્ટ અનુસાર મોતને રોકવાનો કોઇ જ રસ્તો નથી તે તો આવીને જ રહેશે પરંતુ આવનારા સમયમાં જ્યારે મોત આવે અને માણસે પોતાનો ડેટા સાચવી રાખ્યો હશે તો તે આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સને લઇને જીવીત થઇ શકશે. આ રીતે માણસ મર્યા બાદ પણ અમર થઇ જશે.
પ્લાન કરીને મરી શકશો
જ્યાં સુધી આર્ટીફીશીયલ રીતે જીવન કેવી રીતે વધે તે સામે ન આવી જાય ત્યાં સુઝી મોતથી બચવા માટે માણસોએ પોતાના શરીરના અંગોને બાયોએન્જીનીયરીંગની મદદથી સુરક્ષિત રાખવા જોઇએ. નેનોટેક બોડીમાં તેને પ્રત્યર્પિત કરીને પોતાને જીવીત રાખી શકાય છે. આ વસ્તુમાં સફળતા 2600ના વર્ષમાં મળી શકે છે.