શિયાળાની સિઝન દરમ્યાન ડુંગળીના ભાવમાં વધારો થયો હોવા છતાં મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતને 1123 કિલો ડુંગળી વેચતા અંદાજે 13 રૂપિયાની કમાણી થઈ. મહારાષ્ટ્રના ખેડૂત નેતાએ આ વાતનો સ્વીકાર ના કર્યો.
શિયાળાની સિઝન દરમ્યાન ડુંગળીના ભાવમાં થયો વધારો
એક ખેડૂતે 1123 કિલો ડુંગળી વેચતા અંદાજે 13 રૂપિયાની કમાણી થઈ
કમિશન એજન્ટનો દાવો, માલની નબળી ગુણવત્તાને કારણે ઓછું મૂલ્યાંકન કરાયું
નબળી ગુણવત્તાને કારણે માલનું ઓછું મૂલ્યાંકન કરાયું
એક કમિશન એજન્ટે દાવો કર્યો છે કે નબળી ગુણવત્તાને કારણે માલનું ઓછું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સોલાપુર સ્થિત કમિશન એજન્ટ દ્વારા કરવામાં આવેલી વેચાણ રસીદમાં મહારાષ્ટ્રના એક ખેડૂત બપ્પૂ કાવડેએ માર્કેટમાં 1123 કિલો ડુંગળી મોકલી અને તેના બદલે તેમને ફક્ત 1665.50 રૂપિયા મળ્યાં. જેમાં ખેતરમાંથી કમિશન એજન્ટની દુકાન સુધી માલ લઇ જવાનો ખર્ચ, વજન કરાવવાનો ખર્ચ અને પરિવહન ખર્ચનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્પાદન ખર્ચ 1651.98 રૂપિયા છે. જેનો અર્થ છે કે ખેડૂતે ફક્ત 13 રૂપિયા કમાયા.
ખેડૂતને માલના બદલામાં ફક્ત 13 રૂપિયા મળ્યાં
કાવડેની વેચાણ રસીદ ટ્વિટ કરનાર સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ રાજૂ શેટ્ટીએ કહ્યું, કોઈ આ 13 રૂપિયાનું શું કરશે. આ સ્વીકાર્ય નથી. ખેડૂતે પોતાના ખેતરમાંથી કમિશન એજન્ટની દુકાન પર ડુંગળીની 24 બોરી મોકલી અને બદલામાં તેણે ફક્ત 13 રૂપિયા કમાયા.
या १३ रूपयामधून सरकारचे १३ वा घालावे का ?
सोलापूर कृषी उत्पन्न बाजार समितीत काल बापू कावडे या शेतकर्यांने २४ पोते कांदे रूद्रेश पाटील या व्यापा-याला विक्री केले. जवळपास ११२३ किलो कांदे विकून pic.twitter.com/ZergTblfF0