પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં સુરક્ષાની પાક્કી વ્યવસ્થા કરવામાં આવી છે અને કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે જે મતદાન કેન્દ્રો પર આજે મતદાન થવાનું છે. તેના 200 મીટરના દાયરામાં સીઆરપીસીની કલમ 144 લગાવવામાં આવી છે.
દક્ષિણ કોલકત્તાની ભવાનીપુર સીટની પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉમેદવાર છે જ્યારે ભાજપાએ પ્રિયંકા ટિબરેવાલ અને માર્ક્સ વાદી કોમ્યૂનિસ્ટ પાર્ટી (માકપા)ની શ્રીજીવ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુરમાં 97 મતદાન કેન્દ્રોના 287 મતદાન સ્થળોમાંથી પ્રત્યેક પર કેન્દ્રીય દળના જવાનો તૈનાત કરવામાં આવશે. બૂથની બહાર સુરક્ષાની દોર કોલકત્તા પોલીસ અધિકારીઓના હાથમાં હશે. કોલકત્તા પોલીસે એક આદેશમાં કહ્યું કે કોઈ પણ મતદાન કેન્દ્રના 200 મીટરના દાયરામાં 5 અથવા તેનાથી વધારે લોકોને એકત્ર કરવાની પરવાનગી નહીં હોય. પત્થર હથિયાર, ફટાકડા અથવા અન્ય વિસ્ફોટક સામગ્રી લાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
બનાવવામાં આવી 38 પોલીસ ચોકી
અધિકારીએ જણાવ્યું કે ભવાનીપુરમાં 38 સ્થાનો પર પોલીસ ચોકી બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે મતદાન માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી તૈનાાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ભવાનીપુર પેટા ચૂંટણીમાટે એક અતિરિક્ત પોલીસ આયુક્ત ઉપરાંત ચાર સંયુક્ત પોલીસ આયુક્ત 14 ઉપાયુક્ત અને તેમની મદદથી સહાયક આયુક્ત તૈનાત કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે અમે 3 વધારાના કન્ટ્રોલ રુમ બનાવ્યા છે. ઈવીએમને પહોંચાડવા માટે 141 વિશેષ વાહનોનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. શહેરમાં રોકાઈ રોકાઈન વરસાદ થવાના કારણે તમામ પોલીસ કર્મીઓને રેનકોટ અને છત્રી રાખવાનું કહેવામાં આવ્યું છે.
સિંચાઈ વિભાગ પણ સતર્ક
અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી આયોગે અહીંના હવામાનને જોતા સિંચાઈ વિભાગને સતર્ક રહેવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે તમામ મતદાન કેન્દ્રોને પુરનું પાણી કાઢવા માટે પંપ તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે. અમે સિંચાઈ વિભાગ અને ડિઝાસ્ટર મેન્જમેન્ટ વિભાગને ભારે વર્સાદના કારણે તમામ સ્થિતિ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું જંગીપુર અને શમશેરગંજમાં પણ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સીટો પર ગુરુવારે વિધાનસભા ચૂંટણી થવાની છે. મતગણતરી 3 ઓક્ટોબરે થશે.