સનાતન ધર્મમાં ઘણા પ્રકારનું દાન કરવાનું જણાવવામાં આવ્યું છે. દાન કરવાથી કુંડળીના ઘણા દોષો દૂર થાય છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.
સનાતમ ધર્મમાં દાનનું છે ખૂબ મહત્વ
ઘણા પ્રકારના હોય છે દાન
દાનથી કુંડળીના દોષો થાય છે દૂર
દાનનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. દાન વિવિધ રીતે થાય છે. સનાતન ધર્મમાં ઘણા પ્રકારનું દાન કરવાનું જણાવવામાં આવ્યું છે. તેમાંથી એક આદિત્ય મંડળ દાન પણ છે. આ દાનને કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને તેમની કૃપા મળે છે.
આદિત્ય મંડળ દાન
આદિત્ય મંડળ દાનને ખૂબ જ અસરદાર માનવામાં આવે છે. આ દાનથી કુંડળીના ઘણા દોષો દૂર થાય છે અને જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. આદિત્ય મંડળ દાનની વિધિ ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવી હતી.
આ વિધિ અનુસાર, સૌથી પહેલા જે જઉમાં ગોળ મીક્ષ કરી ગાયના ઘીમાં સૂર્ય મંડળના આકારના પુઆ બનાવવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન સૂર્યની પૂજા કરી તેની આગળ લાલ ચંદનનો મંડપ અંકિત કરવામાં આવે છે. તેના ઉપર એ સૂર્ય મંડળને રાખવામાં આવે છે.
પૂજા બાદ કરો આ કામ
પૂજા કર્યા બાદ કોઈ બ્રાહ્મણને બોલાવવા જોઈએ. ત્યાર બાદ તેમને લાલ વસ્ત્ર, દક્ષિણા અને તે સૂર્ય મંડળને દાન કરવું જોઈએ. દાન કરતી વખતે એક મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ. આ મંત્રની સાથે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
દાનથી સૂર્ય દેવ થાય છે પ્રસન્ન
સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે આ દાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ દાનથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાગ આપે છે. ભગવાન સૂર્યની કૃપાથી દાનકર્તાના દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. જેના બાદ તે રાજાની જેમ જીવન જીવવા લાગે છે.