લગ્ન બાદ સુખી જીવન અને સારું સંતાન દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે. દરેક પુરુષ અને સ્ત્રીના મનમાં માત પિતા બનવાની ઇચ્છા હોય છે. પરંતુ દુ:ખ ત્યારે થાય છે જ્યારે સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. એના માટે વ્યક્તિ ખૂબ ઉપાય કરે છે. સંતાન પ્રાપ્તિ માટે વ્યક્તિ શક્ય એટલા પ્રયત્ન કરે છે. પરંતુ તેમ છતાં પણ વ્યક્તિ નિષ્ફળ રહે છે જો તમે પણ સંતાન લાવવા ખૂબ પ્રયત્ન કરી ચુક્યા છો તો આ ઉપાયને જરૂરથી અજમાવો આ ઉપાય કરવાથી તમારી જીંદગી ખુશીઓથી ભરાઇ જશે.
જો તમારી ઘણા સારવાર બાદ પણ સંતાન સુખ મળી શકતું નથી તો તમે સતત 40 દિવસ સુધી પાંચ મૂળા શિવ મંદિરમાં ચઢાવો. ધ્યાનમાં રાખો કે મૂળાને મંદિરમાં ચઢાવતા પહેલા રવિવારની રાતે મહિલાઓ મૂળા લઇને રાખે ત્યારબાદ સોમવારની સવારથી એને મંદિરમાં ચઢાવવાનું શરૂ કરે. આ ઉપાયને કરવાથી જલ્દી સંતાન સુખ પ્રાપ્તિ થાય છે.
જો તમે ગુણવાન અને બુદ્ધિમાન સંતાન મેળવવા ઇચ્છો છો તો તમે ચોખા અને સોપારીનો ટોટકો કરી શકે છો. આ કારગાર ઉપાયને શુક્રવારના દિવસે કરવાનો છે. તમારે બરગદના પાન પર કંકુનો સાથિયો બનાવવાનો છે. ત્યાર બાદ એની પર એક સોપારી અને થોડા ચોખા મૂકીને કોઇ મંદિરમાં ચઢાવી દો. એનાથી તમારી સંતાન સહિત ઘણી ઇચ્છાઓ પૂરી થઇ જશે.
કેટલીક વખત મેડિકલ સમસ્યા ઉપરાંત કુંડળીના દોષોના કારણે પણ સંતાન પ્રાપ્તિમાં સમસ્યા થાય છે. એનાથી છુટકારો મેળવવા માટે તમે ઘરના મુખ્ય દરવાજાની નીચે ચાંદીનું એક પાત્ર મૂકી દો. સમસ્યા ખતમ થઇ જશે.
ગુરુવારના દિવસે પાંચ કોડી લઇને એને અભિમંત્રિત કરી દો. હવે એને મહિલાની કમર પર પીળા દોરાથી બાંધી દો. આવું કરવાથી જલદીથી ખોળો ભરાશે.
ગુરુવારના દિવસે ઘઉંની ગોળીઓ બનાવીને એમાં ચણાની દાળ અને થોડી હળદર ભરીને ગાયને ખવડાવી દો આવું કરવાથી બૃહસ્પતિ દેવ પ્રસન્ન થઇ જાય છે. નિસંતાન દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત બુધવારના દિવસે કાન્હાજી ના બાળ રૂપની મૂર્તિ લઇ આવો અને એની દરરોજ પૂજા કરો. આ સાથે જ એમને માખણ મિશ્રીનો ભોગ લગાવો. પ્રસાદ થોડો પોતે ખાવ અને બચેલો પ્રસાદ પક્ષીઓને ખવડાવી દો. આવું નિયમિત કરવાથી તમારો ખોળો જલ્દી ભરાઇ જશે.