કાળા મરી ખૂબ જ ફાયદાકારક છે. આ ભોજનમાં સ્વાદ વધારે છે. સાથે સાથે ઘણી બિમારીઓનો નાશ કરવામાં પણ મદદરૂપ છે. કાળા મરીમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને આયરન જેવા મહત્વપૂર્ણ તત્વો રહેલા છે. જે આપણા શરીર માટે મહત્વના પોષક હોય છે. કાળા મરી દવાની અસરને પણ વધારવાનું કામ કરે છે.
નવશેકા પાણીની સાથે કાળા મરી લેવાથી ખરાબ થઇ ગયેલું ગળું ઠીક થઇ જાય છે. સરસવના તેલની સીથે કાળા મરીને મિક્સ કરીને પેઢા પર લગાવવાથી આ ફાયદાકારક રહેશે.
કાળા મરી અને ઘી ને મિક્સ કરીને ખાવાથી આંખોની રોશની વધે છે. મરીનું સેવન કરવાથી ખાંસીથી છુટકારો મળે છે.
ખીલ કરચલી માટે મરીને ગુલાબ જળની સાથે પીસીને રાતે સૂતી વખતે ચહેરા પર લગાવવાથી ચેહરાની કરચલીઓ બરોબર થઇ જાય છે.
પાચનતંત્ર માટે લીંબુ પાણી ની સાથે મીઠું અજમો અને મરી મિક્સ કરીને પીવાથીપાચનતંત્ર ખૂબ મજબૂત થાય છે.