એવામાં તુલસીના પાનને કારણ વગર તોડવાથી માણસ પાપનો ભાગીદાર બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના પાનને તોડવાના પણ કેટલાંક નિયમ જણાવવામાં આવ્યાં છે.
તુલસીનાં છોડની પૂજા કરતા સમયે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી
તુલસીના પાનને તોડવાના પણ કેટલાંક નિયમો છે
નિયમિત રીતે તુલસીના પાન તોડવાથી મા લક્ષ્મી નારાજ થાય છે
હિંદુ ધર્મમાં એવા ઘણા છોડનો ઉલ્લેખ છે, જેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આમાંથી જ એક છે તુલસીનો છોડ. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. તુલસીનો છોડ તીર્થસ્થાન સમાન છે એટલે દરરોજ તેની પૂજા અને પ્રદક્ષિણા કરવી જોઈએ. કહેવાય છે કે તુલસીના છોડમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. નિયમિત રૂપથી તુલસીની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. પરંતુ તુલસીનાં છોડની પૂજા કરતા સમયે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
એવી ધાર્મિક માન્યતા છે કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને એટલા માટે જ ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના છોડને લઈને જ્યોતિષમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે નિયમિત રીતે તુલસીના પાન તોડવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. તુલસીના છોડની પૂજાની સાથે તેને જળ અર્પણ કરતી સમયે ઘણી વાતનુ ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે ઘણી વખત લોકો તુલસીના પત્તાને કઈ પણ સમજ્યા-વિચાર્યા વગર તોડી નાખે છે. એવામાં તુલસીના પાનને કારણ વગર તોડવાથી માણસ પાપનો ભાગીદાર બને છે. જ્યોતિષ મુજબ તુલસીના પાનને તોડવાના પણ કેટલાંક નિયમ જણાવવામાં આવ્યાં છે.
શું છે તુલસીના પાનને તોડવાના નિયમો
- શાસ્ત્રો અનુસાર તુલસીના પાનને નિયમિત રીતે ન તોડવા જોઈએ. તુલસીના પાનને તોડવા માટે નિશ્ચિત દિવસો અને મંત્ર છે. ખાસ કરીને કોઈ પણ અગિયારસના દિવસે તુલસીનું પાન ન તોડવું જોઈએ. તેનું કરજ એ જ છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જો કે એકાદશી વ્રત પર ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચઢાવવા શુભ માનવામાં આવે છે પણ આ દિવસે તુલસી તોડવાની મનાઈ છે.
- આ ઉપરાંત તુલસીના પાનને મંગળવાર, રવિવાર અને શુક્રવારના દિવસે ભૂલથી પણ ના તોડવા જોઈએ. આ સાથે એકાદશી, અમાસ અને પૂનમ સહિત ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. ખાસ કરીને રવિવારે તુલસીના છોડને સ્પર્શ કરવાની અને પાણી ચઢાવવાની પણ મનાઈ છે.
- જ્યોતિષ શાસ્ત્ર મુજબ સુર્યોદય અને સૂર્યાસ્તના સમયે પણ તુલસીના પાન તોડવા પ્રતિબંધિત છે.
- તુલસીના પાન તોડતી વખતે આ 3 મંત્રનો જાપ કરવાથી કોઈ દોષ નથી લાગતો.
ॐ सुभद्राय नम:,
ॐ सुप्रभाय नम:,
मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते।।