આગામી વસતી ગણતરીને લઈને ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે.
આગામી વસતી ગણતરીને લઈને મોદી સરકારની મોટી તૈયારી
આસામમાં ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન
આગામી વસતી ગણતરી 100 ટકા ઈ વસતી ગણતરી હશે
જન્મ-મરણ રજિસ્ટરને વસ્તી ગણતરી સાથે જોડવામાં આવશે
2024 સુધીમાં દરેક જન્મ-મરણની નોંધણી થઈ જશે
આગામી વસતી ગણતરીને વધારે હાઈટેક બનાવવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે. ગુવાહાટીના અમીગાંવ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વસતી ગણતરીને લઈને મોટું એલાન કર્યું છે. શાહે કહ્યું કે ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરીને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે આધુનિક તકનીકો ઉમેરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આગામી વસ્તી ગણતરી ઇ-વસ્તી ગણતરી હશે, જે અંતર્ગત સંપૂર્ણ વસ્તી ગણતરી કરી શકાશે. જે 100 ટકા સાચી હશે.
The next e-Census will shape the policies of the next 25 years. I and my family will be the first to fill all details online in the software when it is launched: Union Home Minister Amit Shah
Birth & death register will be linked to Census. By 2024, every birth and death will be registered which means our census will be updated automatically: Union Home Minister Amit Shah
શાહે કહ્યું કે જન્મ અને મૃત્યુ નોંધણીને વસતી ગણતરી સાથે જોડી દેવામાં આવશે. 2024 સુધીમાં દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવશે જેનો અર્થ એવો થાય કે આપણી વસતી ગણતરી આપમેળે અપડેટ થઈ જશે.
After birth, the details will be added to the Census register and after he/she turns 18, the name will be included in the electoral roll and after death, the name will be deleted. Name/address change will be smoother, it will all be linked: Union Home Minister Amit Shah
હું અને મારો પરિવાર સૌથી પહેલા દાખલ કરીશું વસતી ગણતરીની વિગતો
અમિત શાહે કહ્યું કે આગામી ઈ-વસતી ગણતરી 25 વર્ષની નીતિઓનું ઘડતર કરશે. સોફ્ટવેર જ્યારે લોન્ચ કરવામાં આવે ત્યારે તેમાં વિગતો ભરનાર હું અને મારો પરિવાર પહેલા હોઈશું.
વસતી ગણતરી કરવા માટે વધારે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વસ્તી ગણતરી માટે વધારે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ઇ-જનગણના થશે જે 100% સંપૂર્ણ હશે જે આગામી 25 વર્ષ માટેની નીતિઓ તૈયાર કરશે.અમિત શાહે કહ્યું કે જન્મ બાદ વસતી ગણતરીના રજિસ્ટરમાં વિગતો દાખલ થઈ જશે અને બાળક જ્યારે 18 વર્ષનું થાય જે પછી ચૂંટણી કાર્ડમાં તેનું નામ એડ થઈ જશે અને મોત બાદ નામ આપમેળે કમી થઈ જશે. તેમણે કહ્યું કે નામ અને એડ્રેસ ચેન્જ વધારે સરળતાથી થઈ શકશે અને તેને લિંક કરી દેવામાં આવશે.