દિવાળીનો તહેવાર દરેક ઘરમાં સમૃદ્ધિ લઈને આવે છે. આ દિવસે ખાસ કરીને સોના-ચાંદીના આભૂષણોની ખરીદી શુભ ગણવામાં આવે છે. ધનતેરસનો દિવસ કુબેર દેવતા અને મા લક્ષ્મીને સમર્પિત હોય છે. જો તમે પણ કંઈ ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમે તમારી રાશિ પ્રમાણે આ વસ્તુની આજે ખરીદી કરી શકો છો. તે તમારા માટે લાભદાયી રહેશે.
ધનતેરસનો શુભ દિવસ
રાશિ પ્રમાણે કરો આ વસ્તુની ખરીદી
જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ અને થશે ધનવર્ષા
મેષ
આજે તાંબાની વસ્તુની ખરીદી કરો. આ સાથે દિવાળી પૂજા માટે લીલા કે લાલ રંગથી રંગેલા લક્ષ્મી-ગણેશની પ્રતિમા ખરીદો. તે તમને લાભ આપશે.
વૃષભ
આ રાશિના લોકો ચમકદાર પોલિશવાળા વાસણ ખરીદી શકે છે. આ સિવાય તેઓએ ચાંદી અથવા હીરાના આભૂષણ ખરીદવા જોઈએ. લક્ષ્મી પૂજનને માટે સિલ્વર રંગથી બનેલી પ્રતિમા ઘરે લાવી શકો છો.
કર્ક
લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચાંદીના વાસણ ખરીદો. પૂજા ઘરમાં સિલ્વર રંગની લક્ષ્મી ગણેશની પ્રતિમા સ્થાપિત કરો. તેનાથી મનપસંદ વરદાન મળશે. મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે.
સિંહ
આખું વર્ષ મંગલમય રહે તે માટે તમે આજે ગોલ્ડન પોલિશ કરેલા કે તાંબાના વાસણ ખરીદી શકો છો. દિવાળી પૂજા માટે ગોલ્ડન રંગથી રંગેલા લક્ષ્મી ગણેશ ખરીદો.
કન્યા
કન્યા રાશિ વાળા જાતકોએ કાંસાના વાસણોની ખરીદી કરવી. દિવાળીની પૂજામાં ગણેશ લક્ષ્મીની સ્થાપના કરવા માટે લીલી રંગની મૂર્તિ ખરીદો.
તુલા
આ રાશિના જાતકોએ ઈલેક્ટ્રોનિક ગુડ્સ, સિલ્વરના વાસણો લાવવા. તેનાથી ઘરમાં ખુશીઓ આવશે. દિવાળી માટે તમે પ્લાસ્ટર ઓફ પેરિસના લક્ષ્મી- ગણેશની પ્રતિમા ખરીદો.
વૃશ્વિક
ધનતેરસ પર માં લક્ષ્મીના આર્શિવાદ મેળવવા માટે તાંબાના વાસણ, સોનાના દાગીના ખરીદો. દિવાળી પર પૂજન માટે મૂંગા કે લાલ રંગથી રંગેલી લક્ષ્મી ગણેશની પ્રતિમા ખરીદો. લાલ કપડું પાથરીને તેની સ્થાપના કરો.
ધન
આજે પિત્તળના વાસણ, સોનાના આભૂષણ ખરીદવાથી લક્ષ્મીજીની કૃપા બની રહેશે. પરિવારને સુખ અને સમૃદ્ધિ મળશે. પૂજા માટે ગોલ્ડન કલર કે પિત્તળના લક્ષ્મી ગણેશની પ્રતિમા ખરીદો.
મકર
તમારી રાશિનો સ્વામી શનિ છે અને ઈલેક્ટ્રોનિક સામાન કે લોખંડના વાસણ ખરીદો. નીલ વર્ણ કે શ્યામ વર્ણના લક્ષ્મી ગણેશની પ્રતિમા ખરીદી લાવો. આખું વર્ષ તેની પૂજા કરો.
કુંભ
જો તમે લાંબા સમયથી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે ખરીદો. મિશ્રિત ધાતુના વાસણ પણ ખરીદી શકો છો. દિવાળી પર પૂજા માટે અનેક રંગોથી રંગેલા લક્ષ્મી ગણેશજી પ્રતિમા ખરીદો.
મીન
ધનતેરસના દિવસે તમારે પિત્તળના વાસણ, સોના-ચાંદીના આભૂષણ ખરદીવાથી શુભ ફળ મળે છે. દિવાળી પર ગોલ્ડન રંગથી રંગેલા લક્ષ્મી-ગણેશની પ્રતિમા ખરીદવાનું શુભ રહેશે.