સોનાની કિંમતોમાં ઘટાડો ચાલુ છે. હાલ રેટ 31 500 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે સોનાની જ્વેલરી ખરીદવા જાવ છો તો તમારે મેકિંગ ચાર્જિંસ પણ આપવા પડે છે. એવામાં જ્વેલરીનો ભાવ વધી જાય છે. પરંતુ ગોલ્ડ લોન આપનારી કંપની મન્નાપુરમ ફાઇનેન્સી બનાવેલી જ્વેલરીને ઓછી કિંમતમાં હરાજી કરી રહી છે. વાસ્તવમાં આના બદલામાં ગ્રાહક લોન લે છે પરંતુ નક્કી કરેલા સમય સુધી લોન ના ચુકવવાના કારણે કંપની પાસેથી એને છોડાવી શકતા નથી. તમને જણાવી દઇએ કે હાલમાં કંપની કુલ 46 શહેરોમાં જ્વેલરીની હરાજી કરી રહી છે.
હરાજી પહેલા આ કંપનીઓ નોટિસ આપે છે. ગ્રાહક જ્યારે 12 મહિનાથી પોતાનો EMI ચુકવતો નથી તો કંપનીઓ એને નોટિસ મોકલે છે. ત્યારબાદ પણ જો ગ્રાહક લોનની ચુકવણી કરતું નથી તો પછી RBIના નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે
હરાજી રિઝર્વ બેંકના નિયમો અનુસાર થાય છે. સાથે જ RBI નો એક પર્યવેક્ષક પણ હાજર હોય છે. ઓફિસર અનુસાર એમનો પ્રયત્ન હોય છે કે જાહેરાત દ્વારા ડિફોલ્ટ કરનાર ગ્રાહકોને સતર્ક કરવામાં આવે કે જો એ એમની જ્વેલરી પાછી લેશે નહીં તો એ હરાજી થઇ જશે. પરંતુ તેમ છતાં પણ ગ્રાહક આવતો નથી તો પછી હરાજીનો જ વિકલ્પ બચે છે.
હરાજીમાં ભાગ લેવા માટે બોલી બોલનાર લોકોની પાસે પાન કાર્ડ અથવા આઇડી કાર્ડ હોવું જરૂરી છે. ત્યારબાદ જ એ બોલી લગાવી શકે. આવું એટલા માટે કરવામાં આવે છે કે કોઇ ખરીદદાર બ્લેકમનીનો ઉપયોગ કરી શકે નહીં. કંપની હરાજીની તારીખ અથવા જગ્યામાં કોઇ પૂર્વ સૂચના વગર બદલી શકે છે અને એની જાણકારી કંપનીની વેબસાઇટ અને હરાજી સેન્ટર પર મળી જશે.
દેશના 3 રાજ્યોના અલગ અલગ શેહેરોમાં હરાજીના 46 સેન્ટરોની પસંદગી કરવામાં આવી છે. ઝારખંડ હરિયાણા અને ઉત્તરાખંડમાં કંપનીના કુલ 46 સેન્ટર બનાવ્યા છે. જ્યાં હરાજી કરવામાં આવશે.