વલસાડમાં નજીવી બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવકના 250 રૂપિયા વેપારી પાસે બાકી હતા. જે રૂપિયા મામલે વેપારીએ યુવકને બેસબોલ અને બેટ મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો.
250 રૂપિયાની ઉધારીમાં કરી હત્યા
બેસબોલ અને બેટ વડે આપ્યો હત્યાને અંજામ
ગણતરીના સમયમાં હત્યારો પોલીસ સકંજામાં
રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુંમાં ફરી એકવાર વલસાડ જિલ્લામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. વલસાડના મોગરવાડી વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે આસપાસના સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામી છે.
ઉધારીના રૂપિયા માટે ખેલાયો ખૂની ખેલ
સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો એક વેપારીએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યો છે. મૃતક યુવકનું ઉધાર વધી ગયું અને વેપારી તેની પાસેથી ઉધાર રૂપિયા માગી રહ્યો હતો. જોકે તેની પાસે રૂપિયા ન હતા જેથી યુવકે રૂપિયા આપવાની ના પાડી હતી.
બેસબોલ અને બેટથી કરી હત્યા
જોકે રૂપિયા ન મળતા વેપારી આવેશમાં આવી ગયો અને તેનું ભાન ગુમાવી બેઠો હતો. શરૂઆતમાં બોલાચાલી થઈ હતી જે બોલાચાલી ઉગ્ર બની ગઈ. જેથી વેપારીએ મારામારી શરૂ કરી હતી. વેપારીએ આવેશમાં આવીને ગ્રાહકને બેઝબોલ અને બેટ વડે માર માર્યો હતો.
250 રૂપિયા માટે યુવકને ઉતાર્યો મોતને ઘાટ
યુવકને બેસબોલ તેમજ બેટ વડે ઢોરમાર મારવાને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં તેનું મોત નિપજ્યું છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે મૃતક યુવકના વેપારી પાસે માત્ર 250 રૂપિયા બાકી હતી, અને માત્ર 250 રૂપિયા માટે તે વેપારીએ બેટ અને બેસબોલ વડે માર મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો.
પોલીસે કરી આરોપીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને ઝડપી પાડ્યો છે. પરંતુ માત્ર 250 રૂપિયા માટે બનેલા આ હત્યાના બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે હત્યારા વેપારીને તેની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.