પંચમહાલમાં મંદીના કારણે આત્મહત્યાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. હાલોલ GIDCમાં મંદીના કારણે ઉદ્યોગપતિએ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો છે. મહત્વનું છે કે, મૃતક ઉદ્યોગપતિ પ્લાસ્ટિક ફેકટરીનો માલિક હતો.
મંદીના કારણે ઉદ્યોગપતિનો આપઘાત
પ્લાસ્ટિક બેનની નીતિને કારણે ઉદ્યોગ મૃતઃપાય અવસ્થામાં
2 ઓક્ટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર લાગશે પ્રતિબંધ!
સમગ્ર દેશમાં મંદીનો માહોલ છે. ઓટોમોબાઇલ્સ, હિરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગોમાં મંદીની અસર વર્તાય રહી છે. ત્યારે ગુજરાતમાં મંદીમાં ફેકટરી બંધ થતા ડિપ્રેશનમાં આવી જતા ઉદ્યોગપતિએ જીવન ટૂંકાવ્યું છે. પંચમહાલના હાલોલ GIDCમાં પ્લાસ્ટિક બનાવતા એકમના માલિક રાજેન્દ્રસિંહ કુશવાહા નામના ઉદ્યોગપતિએ આપઘાત કર્યો હતો.
પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
હાલોલના ગોધરા રોડ પર આવેલ વેણુપાર્ક સોસાયટીમાં રહેતા અને હાલોલ GIDCમાં પ્લાસ્ટિકની પોલીથીન બેગ ઝભલા બનાવતી કંપનીના માલક રાજેન્દ્રસિંહ કુશવાહાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી સમગ્ર હાલોલ વિસ્તારમાં આવેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમોને સરકારની નીતિઓનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે પ્લાસ્ટિકના અનેક ઉદ્યોગો બંધ થઇ રહ્યા છે. જેને લઇને કેટલાક આ મંદીથી સતત ડિપ્રેશનમાં રહેતા રાજેન્દ્રસિંહે રાત્રે 11.30 વાગ્યે પોતાના રૂમમાં પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઇ લીધો હતો. જોકે હાલોલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક પર પ્રતિબંધની નીતિને કારણે ફેકટરી મૃત:પ્રાય અવસ્થામાં છે. કેન્દ્ર સરકાર આગામી 2 ઓક્ટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવા જઇ રહી છે. જેથી પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થયો છે, જેના કારણે પ્લાસ્ટિકના એકમો મરણ પથારીએપટકાયા છે.