અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે આ વર્ષે 500 ગ્રામ સોનાની ભેટ આપી
અંબાજી મંદિરમાં 500 ગ્રામ સોનાની ભેટ
નવનીત શાહે મંદિરને સોનાનું દાન આપ્યું
અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે દાન
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે અંબાજી માતાના ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24 લાખ 50 હજાર આંકી શકાય છે. માં અંબાનો આ ભક્ત બીજું કોઈ નહીં પણ વર્ષોથી દાતાર રહેલા નવનીત શાહ છે દર વર્ષે માં અંબાના ચરણોમાં સોનાની ભેટ આપે છે.
છેલ્લા 20 વર્ષમાં નવનીત શાહે કર્યું છે 20 કિલો સોનાનું દાન
અંબાજી મંદીરમાં દર વર્ષની જેમ ભાદરવી પૂનમના દિવસે સોનાનું દાનનો અવિરત અખૂટ પ્રવાહ આ વખત પણ રહ્યો છે. જાણીતા બિઝનેસમેન નવનીત શાહે આ વખતે પણ 500 ગ્રામ એટલે કે અંદાજિત 24 લાખ 50 હજારના કિમંતના સોનાનું દાન માં અંબામાં મંદિરમાં આપ્યું છે. દાનવીર કહેવાતા નવનીત શાહ છેલ્લા 20 વર્ષથી સોનાનું દાન દર વર્ષ કરતા આવે છે અને અત્યાર સુધી તેમણે 20 કિલો સાનાનું દાન અંબાજી મંદિર ખાતે કરી દીધૂ છે. જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર નવનીત શાહ એક ફાર્મા સ્યુટિકલ કંપનીના માલિક છે જે માં અંબા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ દાન તેમણે અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે કર્યું છે.
અત્યાર સુધી મા અંબાના સુવર્ણ શિખરમા 140 કિલો 435 ગ્રામ સોનુ 15 હજાર 711 કિલો તાંબુ વપરાયું છે. ત્યારે મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા અનેક ભક્તો દાનની સરવાણી વહાવી રહ્યા છે ત્યારે ભક્તો થકી માં અંબાનું મંદિર જલ્દી સુવર્ણમય બનશે એવી આશા સેવાઇ રહી છે.મા ભક્તોનો મનમૂકીને અંબા માતાના ચરણોમાં દાન કરી રહ્યા છે.