સ્વતંત્રતા દિવસ 2022ના આ ખાસ અવસર પર દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ મુંબઈમાં પોતાના આલીશાન બંગલા 'એન્ટિલિયા'ને તિરંગામાં બદલી નાખ્યો છે
દેશમાં 75માં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી,
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પૌત્ર પૃથ્વીને કાખમાં તેડી ઉજવ્યો સ્વતંત્રતા દિવસ
અંબાણીએ પણ મુંબઈના આલીશાન બંગલા 'એન્ટિલિયા'ને તિરંગામાં બદલી નાખ્યો
દેશમાં 75મા સ્વતંત્રતા દિવસ પર 'આઝાદી કા અમૃત મહોત્સવ 2022' અંતર્ગત 'હર ઘર તિરંગા અભિયાન'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સેલેબ્રિટીથી લઈને સામાન્ય લોકો સુધી રાષ્ટ્રધ્વજને ત્રિરંગાથી શણગારવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ 2022ના આ ખાસ અવસર પર દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ મુંબઈમાં પોતાના આલીશાન બંગલા 'એન્ટિલિયા'ને તિરંગામાં બદલી નાખ્યો છે. આ સાથે આજે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પૌત્ર પૃથ્વીને કાખમાં તેડીને સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ઉજવ્યો સ્વતંત્રતા દિવસ
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ મુંબઈમાં પોતાના આલીશાન બંગલા 'એન્ટિલિયા'ને તિરંગામાં બદલી નાખ્યો છે. ત્રિરંગાની રોશનીથી શણગારેલા અંબાણીના આ બંગલાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. બંગલાને ખૂબ જ આલીશાન અને સુંદર શૈલીમાં સજાવવામાં આવ્યો છે. તિરંગાની રોશનીથી શણગારેલા મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
#WATCH | Reliance Industries chairman Mukesh Ambani along with his wife Nita Ambani and grandson Prithvi Ambani celebrates Independence Day pic.twitter.com/QNC8LmtoHL
આ વીડિયો મુકેશ અંબાણીના આલીશાન ઘર એન્ટિલિયાનો છે. સમગ્ર અંબાણી પરિવાર સ્વતંત્રતા દિવસના અવસર પર આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. આ ઉપરાંત એન્ટિલિયા તરફ જતા માર્ગોને પણ તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, અશોક ચક્ર પણ ઘણી લાઈટોમાંથી બનાવવામાં આવ્યું છે. હવે જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ મુકેશ અંબાણીના દેશભક્તિના શબ્દો સાથે ત્રિરંગાની રોશનીથી સજાવેલા બંગલાના વખાણ કરી રહ્યા છે. નોંધનિય છે કે, આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોના ચુંગાલમાંથી આઝાદ થયો હતો. 1947 થી, આજે આપણો દેશ 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરને વધુ વિશેષ બનાવવા માટે, ભારત સરકારે 'હર ઘર તિરંગા અભિયાન' શરૂ કર્યું છે, જે અંતર્ગત સામાન્ય લોકો પણ તેમના ઘરે રાષ્ટ્રધ્વજનું સન્માન કરીને આઝાદીનો આનંદ લઈ રહ્યા છે.