લોકસભા ચૂંટણી દરમ્યાન ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી અને ભાજપનાં પ્રતીક ચિહ્ન કમળની કેટલાંક કારીગરોએ વીંટીમાં એવી ને એવી જ છાપ કંડારી કાઢી છે. મોદી અને કમળની છાપવાળી આ વીંટી સોના ચાંદીથી બનાવવામાં આવી રહેલ છે. જેનું વજન 2થી 8 ગ્રામ સુધી રાખવામાં આવેલ છે.
રાજકોટઃ લોકસભા ચૂંટણી દરમ્યાન ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી અને ભાજપનાં પ્રતીક ચિહ્ન કમળની કેટલાંક કારીગરોએ વીંટીમાં એવી ને એવી જ છાપ કંડારી કાઢી છે. મોદી અને કમળની છાપવાળી આ વીંટી સોના ચાંદીથી બનાવવામાં આવી રહેલ છે. જેનું વજન 2થી 8 ગ્રામ સુધી રાખવામાં આવેલ છે. એવી 3000થી વધારે વીંટીઓ અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 12થી વધારે રાજ્યોમાં મોકલી દેવામાં આવી છે. એટલે કે આ વીંટીઓની હાલમાં ખૂબ મોટા પાયે ડિમાન્ડ ચાલી રહી છે.
અહીંની કમળવાળી સોના-ચાંદીની વીંટીની દેશભરમાં ડિમાન્ડઃ
ભાજપ અને મોદી સમર્થકો માટે આ વીંટી ન તો માત્ર જ્વેલરી તરીકે પસંદ કરવામાં આવી રહી છે પરંતુ ચૂંટણીમાં અલગ જ પ્રકારનો માહોલ પણ બનાવી રહેલ છે. આ વીંટી ખાસ રીતે જોઇએ તો રાજકોટનાં સોની બજારમાં બને છે. એક બિઝનેસમેને જણાવ્યું કે, એક વીંટી તૈયાર કરવામાં લગભગ 48 કલાકનો સમય લાગે છે.
સોનાની વીંટી 16થી 25 હજારમાં વેચાઇ રહેલઃ
બિઝનેસમેનનાં કહેવા અનુસાર પહેલા તો 6 ડિઝાઇનમાં આ વીંટી તૈયાર કરવામાં આવી છે. પછી 3 ડિઝાઇન લોકોને વધુ પસંદ આવી છે. જેને લઇને જોતાં આ ડિઝાઇનની 3000થી પણ વધારે વીંટીઓ બનાવવામાં આવી છે. જેને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી. આ વીંટીઓનાં સ્કેચથી લઇને ડિઝાઇન અને ઘડાઇ રાજકોટમાં કરવામાં આવેલ છે. સોનાની વીંટી 16થી 25 હજાર અને ચાંદીની વીંટી 1000થી 1500 રૂપિયામાં ધડાધડ વેચાઇ રહેલ છે.