વાપીના ઉદ્યોગપતિ અમિત શાહનું 9 ફેબ્રુઆરીએ 6 આવારાતત્વોએ અપહરણ કર્યું હતું અને 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ કાવતરા પાછળ 10 વ્યક્તિઓનો હાથ છે.
ઉદ્યોગપતિ અમિત શાહનું અપહરણ થયું હતું
9 ફેબ્રુઆરીએ અપહરણ થયું હતું
6 અપહરણકારોની ધરપકડ
વાપીના ઉદ્યોગપતિઅમિત શાહનું તાજેતરમાં જ અપહરણ કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત 50 લાખ રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના
9 ફેબ્રુઆરીના રોજ અમિત શાહ જ્યારે કંપનીથી ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. વાપીના જીઆઈડીસી વિસ્તારમાં બાઈક પર આવેલા 6 જેટલા આવારાતત્વોએ ઉદ્યોગપતિ અમિત શાહને ઘેરીને તેમનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ અજાણી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. અને અમિત શાહના છુટકારા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
9 તારીખે અપહરણ થયું હતું
જ્યારે ઉદ્યોગપતિ અમિત શાહ કંપનીથી ઘર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં 6 આવારાતત્વો બાઈક પર આવ્યા હતા અને ઉદ્યોગપતિ શાહનું અપહરણ કર્યું. જો કે અમિત શાહને હાલ છુટકારો મળી ગયો છે અને પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ કાવતરું રચવામાં 10 લોકો શામેલ હતા.
પોલીસે આરોપીની કરી કલાકોમાં જ ધરપકડ
અમિત શાહના પરિવારે ગઈ કાલે વાપી પોલીસને આ બાબતે જાણ કરી હતી. અને પોલીસે તરત જ શોધખોળ શરુ કરી હતી અને કલાકોમાં જ આ કેસનો ઉકેલ લાવી દીધો હતો. અને પોલીસે અપહરણ કરનાર 6 આરોપીની ધરપકડ કરી હતી.
આ ગુનામાં પોલીસે વધારે તપાસ પણ શરુ કરી છે કારણ કે સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ કાવતરા પાછળ 10 લોકોના હાથ હતા. જ્યારે હજુ 6 વ્યક્તિની જ ધરપકડ કરવામાં આવી છે.