ભારતીય અર્થવ્યવસ્થામાં 2021માં આમાં 5 ટકા વૃદ્ધિની સાથે ‘મજબુત સુધાર’નું અનુમાન છે
અર્થવ્યવસ્થામાં 2021માં આમાં 5 ટકા વૃદ્ધિની સાથે ‘મજબુત સુધાર’નું અનુમાન
મહામારીના કારણે 2020માં 6.9 ટકા ઘટાડો થવાનું અનુમાન
જીડીપીમાં 2020-21માં 6.9 ટકા ઘટાડાનું અનુમાન
અર્થવ્યવસ્થામાં 2021માં આમાં 5 ટકા વૃદ્ધિની સાથે ‘મજબુત સુધાર’નું અનુમાન
ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોના વાયરસ મહામારીના કારણે 2020માં 6.9 ટકા ઘટાડો થવાનું અનુમાન છે. પરંતુ 2021માં આમાં 5 ટકા વૃદ્ધિની સાથે ‘મજબુત સુધાર’નું અનુમાન છે. એવું સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું નવું બજેટ ડિમાન્ડ વધારવા માટેના પ્રોત્સાહન પર ભાર મુકે છે. જેમાં સાર્વજનિક રોકાણના વધારાનો ઉપયોગ કરી શકાય છે.
પેકેજના ઉપભોક્તા ખર્ચના વધતી આર્થિક ગતિવિધિઓ પર અસર દેખાશે
સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર તથા વિકાસ સમ્મેલન દ્વારા વ્યાપાર અને વિકાસ રિપોર્ટ 2020ના આ અધ્યતન રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આ વર્ષે 2021માં 4.7 ટકા વૃદ્ધિનું અનુમાન છે. આ પહેલા સપ્ટેમ્બરમાં 2020માં લગાવવામાં આવેલા 4.3 ટકાનાં અનુમાન કરતા વધારે છે. અમેરિકન અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો આવવામાં આનું યોગદાન રહેશે. અમેરિકામાં રસીકરણ અભિયાનમાં તેજી અને 1900 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજના ઉપભોક્તા ખર્ચના વધતી આર્થિક ગતિવિધિઓ પર અસર દેખાશે.
જીડીપીમાં 2020-21માં 6.9 ટકા ઘટાડાનું અનુમાન
આ રિપોર્ટમાં વર્ષ 2020ના અપ્રત્યાશિત ગણાવવામાં આવ્યુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે હાલના વર્ષોમાં વાયરસ ફેલાવાને લઈને ચેતવણી સમય સમય પર આવતી રહી છે. પરંતુ કોઈને પણ કોરોનાના આટલા ખતરનાક હોવાની આશા નહોંતી. ભારતના જીડીપીમાં 2020-21માં 6.9 ટકા ઘટાડાનું અનુમાન છે. પરંતુ આ બાદ 2021માં આમાં 5 ટકાની વૃદ્ધિ નોંધાવાનું અનુમાન છે. આ પહેલા અંકટાડની સપ્ટેમ્બર 2020ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે ભારતીય અર્થવ્યવસ્થામાં 2020માં 5.9 ટકા ઘટાડો આવશે અને 2021માં 3.9 ટકા તેજી આવશે.
સાર્વજનિક વ્યયમાં મોટી વૃદ્ધિની વાત કહેવામાં આવી રહી હતી
અંકટાડે કહ્યું કે વર્ષ 2020માં ભારતની વૃદ્ધિનું પ્રદર્શન અમારી મધ્ય-2020ની ઉમ્મીદથી ઓછા રહ્યા છે. આ દરમિયાન વાસ્તવિક નાણાકિય પ્રોત્સાહનની શરુઆતની જાહેરાતથી ઓછા રહ્યા જેમાં મહામારીથી રાહત મેળવવા માટે સાર્વજનિક વ્યયમાં મોટી વૃદ્ધિની વાત કહેવામાં આવી રહી હતી. સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીનું કહેવું છે કે ભારત દ્વારા અપનાવવામાં આવેલા રાહતના ઉપાયો ન ફક્ત આકારમાં બહું નાના છે બલ્કે આ આપૂર્તિ પક્ષની અડચણોને દૂર કરવા માટે રોકડ સમર્થન ઉપબલ્ધ કરાવવા પર કેન્દ્રિત રહ્યા છે. આ સમગ્ર માંગ સમર્થન પર ધ્યાન નથી આપવામાં આવ્યુ.