ફાટેલી નોટોને બદલાવવા માટે અપસેટ સામાન્ય લોકો માટે ભારતીય રિઝર્વ બેન્કે એક ગાઇડલાઇન જાહેર કરી છે. જેના આધારે ફાટેલી નોટોની સાથે જે નોટ વધારે ખરાબ થઇ ગઇ છે તેને પણ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ બદલી શકાશે. આ નોટોની સામે સરકાર તેની ચુકવણી પણ કરશે.
ગાઇડલાઇનમાં રિઝર્વ બેન્કે ક્લીયર કર્યું છે કે એવી નોટ જે પાણી પરસેવા અથવા કોઇ અન્ય વસ્તુઓ લાગવાથી ખરાબ થઇ ગઇ છે અને તેના બે ટુકડા થઇ ગયા છે પરંતુ કોઇ જરૂરી ફિચર ગાયબ નથી થયા તેને સરકારી ઉત્કૃષ્ટ હાઉસ ટેક્સ વોટર ટેક્સ વિજળી બીલ સહિતમાં ચૂકવણી કરી શકાશે. સાથે જ બેંક કાઉન્ટરમાં પણ તેનો સ્વીકાર કરવામાં આવશે. જો કે આ નોટોને ફરી લોકોને આપવામાં નહી આવે તેને નષ્ટ કરી દેવામાં આવશે.
તે સિવાય એવી નોટો જેનો એક ભાગ કપાઇને ગાયબ થઇ ગયો છે અથવા જેના બેથી વધારે ટુકડાને જોડી દેવામાં આવ્યા છે. તે નોટોને કોઇપણ બ્રાન્ચમાં આપી શકાય છે. આ પ્રકારની નોટોને રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના નિયમ 2009 હેઠળ બદલી શકાય છે.
સાથે જ એવી નોટો જે સામાન્ય રૂપથી યુઝ ન થઇ શકે ખૂબ જ ખરાબ હાલતમાં હોય અથવા બળી ગઇ હોય. તેને બેંકની બ્રાન્ચમાં બદલવામાં નહી આવે. જેના બદલે જેની પાસે આ પ્રકારની નોટ હોય તે સંબંધિત ઇશ્યૂ ઓફિસમાં જઇને ટેન્ડરની પ્રક્રિયા કરી શકે છે. જ્યાં વિશેષ પ્રક્રિયા હેઠળ નોટ બદલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
નહીં બદલી શકાય સૂત્રો અથવા સંદેશાઓ લખેલી નોટોને:
રિઝર્વ બેંકે બે જુલાઇ જાહેર કરેલી ગાઇડલાઇનમાં ક્લીયર કર્યું છે કે કોઇ પ્રકારના સુત્રો અથવા રાજનીતિક પ્રકૃતિના સંદેશ લખેલી નોટોનો કાનૂની ટેન્ડર સમાપ્ત થઇ જાય છે. આ પ્રકારની નોટોને બદલાવવા માટે દાવો નથી કરી શકાતો. કોઇપણ નોટને જાણી જોઇ અથવા ગુસ્સામાં ફાડી શકાતી નથી. એટલે જ જે નોટોને જાણી જોઇને ફાડવામાં આવી છે તેને બદલવા માટે દાવો નથી કરી શકાતો. જો કોઇ વ્યક્તિ મોટી સંખ્યામાં આ પ્રકારની નોટ ચેન્જ કરાવવા આવે તો તેની જાણકારી પોલીસને આપવા આવે છે અને તેના પર એક્શન લેવામાં આવે છે.