બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:22 AM, 21 April 2025
ડોનાલ્ડ ટ્ર્મ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી શેર માર્કેટ સહિત વિશ્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જેના પગલે હવે રોકાણકારોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં શેરબજારમાં પરિસ્થિતિ ઘણી સુસ્ત છે. જેમાં રોકાણકારોના 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધાર્યા બાદ ચીને વેપાર યુદ્ધ શરૂ કરવાની ચેતવણી આપી છે. આનો અર્થ એ થયો કે હવે તેની વિશ્વભરના બજારો પર નકારાત્મક અસર પડશે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો. તો જો તમે આ બાબતો પર ખાસ ધ્યાન આપો જેથી વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ADVERTISEMENT
આજના સમયમાં એવા ઘણા લોકો શેરબજારમાં પણ રોકાણ કરે છે. જેમને શેરબજાર વિશે વધારે ખબર નથી. તેમને ખબર નથી કે કઈ જગ્યાએ રોકાણ કરવું યોગ્ય રહેશે. તેમજ તે આ બાબતે કોઈ માહિતી મેળવતા નથી. જેના પગલે મુશ્કેલી ઊભી થઈ શકે છે. શેરબજાર કોઈ જુગાર નથી. શેર માર્કેટમાં ગણતરીઓ મગજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જ્યાં તમે રોકાણ કરી રહ્યા છો. તે કંપનીના શેર વિશે સંશોધન કરવામાં આવે છે. જો તમે માહિતી અને સંશોધન વિના વેપાર યુદ્ધ દરમિયાન રોકાણ કરો છો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
ADVERTISEMENT
ઘણીવાર એવા ઘણા લોકો હોય છે. જેઓ પોતાના મોટાભાગના પૈસા એક જ જગ્યાએ રોકાણ કરે છે. તમારે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. ટ્રેડ વોર દરમિયાન, તમારે સલામત સ્થળોએ રોકાણ કરવું જોઈએ. FMCG, ફાર્મા અને IT માં રોકાણ અન્ય સ્થળો કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ તમારા પોર્ટફોલિયોમાં પણ વૈવિધ્ય લાવે છે. જેના કારણે નુકસાનનું જોખમ ઓછું થાય છે.
વધુ વાંચો : સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?, એક અઠવાડિયામાં 24 કેરેટ 10 ગ્રામનો આટલો થયો ભાવ
દુનિયાભરમાં બનતી ઘટનાઓ શેરબજાર પર અસર કરે છે. જેમ કે હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. આની અસર ભારતીય શેરબજાર પર પણ પડશે. તેથી, તમારા વેપારમાં સ્ટોપ લોસ મૂકવો તમારા માટે મહત્વપૂર્ણ છે. જેથી તમને ફક્ત એક મર્યાદા સુધી જ નુકસાન થાય અને વધારે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.