બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:36 PM, 22 April 2025
RBI દ્વારા અવાર નવાર વિવિધ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારે હવે એટીએમને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જી હાં 1 મેથી આ નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ATM માંથી રોકડ ઉપાડવા પર લાગતા ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. મતલબ કે હવે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા તમામ ગ્રાહકોએ નવા ચાર્જ વિશે જાણવું જરૂરી છે.
ADVERTISEMENT
RBI એ હાલમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે હવે ગ્રાહકોએ ATM માંથી પૈસા ઉપાડવા માટે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જોકે, આ ચાર્જ ચોથી વખત અથવા ત્રણ વખતથી વધુ ઉપાડ માટે લાગુ પડશે. તમને જણાવી દઈએ કે RBI ના નિયમો અનુસાર, બીજી બેંકના ATM માંથી ત્રણ વખત પૈસા ઉપાડવા પર કોઈ વધારાનો ચાર્જ લાગતો નથી. પરંતુ 3 કરતા વધુ વખત પૈસા ઉપાડવામાં આવે તો જ લાગશે. હાલમાં આ ચાર્જ 21 રૂપિયા છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે ચાર્જમાં વધારા છતાં ગ્રાહકો દર મહિને મર્યાદિત મફત ATM વ્યવહારોનો લાભ લઈ શકશે. RBI ના નિયમો મુજબ, ગ્રાહક જે બેંકમાં ખાતું ધરાવે છે તેના ATM માંથી દર મહિને પાંચ મફત ATM ટ્રાન્ઝેક્શન કરી શકે છે, જ્યારે મેટ્રો શહેરોમાં તે અન્ય બેંકોના ATM માંથી દર મહિને ત્રણ મફત ATM ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જ્યારે નોન-મેટ્રો શહેરોમાં ગ્રાહકો અન્ય બેંકના ATM માંથી દર મહિને પાંચ વ્યવહારો કરી શકે છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે જો આ મર્યાદા પૂર્ણ થઈ જાય, તો તેમણે પ્રતિ ATM ટ્રાન્ઝેક્શન માટે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
વધુ વાંચો : SBIએ કરોડો ખાતાધારકોને ચેતવ્યા! નવા સ્કેમથી બચવા આપી ખાસ સલાહ
RBI એ જણાવ્યું હતું કે ATM ઓપરેટરો લાંબા સમયથી ATM જાળવણી, રોકડ વ્યવસ્થાપન અને સુરક્ષાના વધતા ખર્ચને ટાંકીને ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. જે બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021 ની શરૂઆતમાં, ભારતીય રિઝર્વ બેંકે ATM ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, કેન્દ્રીય બેંકે પ્રતિ એટીએમ ટ્રાન્ઝેક્શન રકમ 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.