બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દેશની આઝાદી પહેલા શરૂ થયેલી દેશી તુવેર દાળની આ બ્રાન્ડે પૂરા કર્યા 90 વર્ષ

ઉજવણી / દેશની આઝાદી પહેલા શરૂ થયેલી દેશી તુવેર દાળની આ બ્રાન્ડે પૂરા કર્યા 90 વર્ષ

Last Updated: 02:55 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના એક ગુજરાતી પરિવાર દ્વારા આઝાદી પહેલા સ્થાપવામાં આવેલી રેંટિયો તુવેર દાળ, છેલ્લા નવ દાયકાઓથી પરંપરાનો અભિન્ન ભાગ રહી છે. આ બ્રાન્ડે 90 વર્ષ પૂર્ણ કર્યાનું સેલિબ્રેશન કર્યું.

અમદાવાદ: દરેક ગુજરાતી રસોડામાંથી ઉકળતી તુવેર દાળની મનમોહક સુગંધ આવે છે, જે એક રોજિંદા ખોરાક જ નથી પરંતુ એક પરંપરા છે. આપણા ગુજરાતી ઘરોમાં દાળનાં સ્વાદ પ્રત્યે ખુબ જ કાળજી રાખવામાં આવે છે. સુરતના એક ગુજરાતી પરિવાર દ્વારા આઝાદી પહેલા સ્થાપવામાં આવેલી રેંટિયો તુવેર દાળ, છેલ્લા નવ દાયકાઓથી આ પરંપરાનો અભિન્ન ભાગ રહી છે, જે શુદ્ધતા, ગુણવત્તા અને ઘરમાં રાંધેલા ભોજનની કાયમી હૂંફનું પ્રતીક છે. આ બ્રાન્ડે 90 વર્ષ પૂર્ણ કર્યાનું સેલિબ્રેશન કર્યું, પરંતુ આ સેલિબ્રેશનનો હેતુ દરેકનો આભાર વ્યક્ત કરવાનો હતો. આ સેલિબ્રેશનમાં ઘણા મહાનુભવોએ હાજરી આપી અને સેલિબ્રેશન વિવિધ કાર્યક્રમોથી ભરેલું હતું.

સ્વતંત્રતા અને અખંડિતતાના મૂળ ધરાવતો વારસો

ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન, મહારાષ્ટ્રના નવાપુરમાં 1935માં શ્રી મંગળદાસ ચોખાવાલા દ્વારા સ્થાપિત રેંટિયો તુવેર દાળનો જન્મ, દેશભરના ઘરોને શ્રેષ્ઠ, દેશી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ તુવેર દાળ પૂરી પાડવાના વિઝનમાંથી થયો હતો. 'રેંટિયો' નામ, જેનો અર્થ ગુજરાતીમાં ‘ચરખો’ થાય, તે ચોખાવાલા પરિવારના ગાંધીજીની ચળવળમાં સહભાગી થવાનું પ્રતિબિંબ છે. રોજનું ચરખા કાંતવાનું કામ પરિવાર માટે ધાર્મિક વિધિ સમાન હતું.

શ્રી મંગળદાસ ચોખાવાલાએ અનોખી ‘ડ્રાય પ્રોસેસ’ (પાણીના ઉપયોગ વિના) દ્વારા ફક્ત દેશી તુવેર અને કોટન સીડ ઓઈલનો ઉપયોગ કરીને તુવેર દાળનું ઉત્પાદન શરૂ કર્યું. બ્રાન્ડનું નામ ‘રેંટિયો’ તેમનાં આ ચરખાની શ્રદ્ધાંજલિરૂપ હતું. ગુણવત્તા અને શુદ્ધતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ પહેલા ગુજરાત અને પછી સમગ્ર ભારતમાં પરંપરાનું પાયો નાખ્યો. આજે રેંટિયો તુવેર દાળ વિશ્વભરમાં એક્સપોર્ટ થાય છે. નવાપુર સ્થિત તેમની ફેક્ટરીમાં રોજે રોજ 80-90 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે.

રેંટિયો તુવેર દાળના CEO શ્રીમતી શીતલ ચોખાવાલા વાણીએ જણાવ્યું હતું કે, "રેંટિયો તુવેર દાળની શરૂઆત આઝાદી પહેલા અને ગુજરાત-મહારાષ્ટ્રના વિભાજન પહેલા, 1935માં ઉત્તર મહારાષ્ટ્રના ભાગ કહેવાતા નવાપુર ખાતે થઈ હતી. દેશી તુવેર દાળ માટેની વિશ્વસનીય ઓળખ તરીકે રેંટિયો હંમેશાં લોકપ્રિય રહી છે. ચાર પેઢીઓથી લોકો રેંટિયોનો આસ્વાદ લઈ રહ્યાં છે, જે આ બ્રાન્ડની સફળતા દર્શાવે છે. આ વર્ષે 90 વર્ષના માઈલસ્ટોનની ઉજવણીના ભાગરૂપે, રેંટિયો સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ, વેપારીઓ અને વિશિષ્ટ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રેંટિયોની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી હતી."

રેંટિયોની સફર - The Journey

  • 1935માં મહારાષ્ટ્રના નવાપુર ખાતે સ્થાપના
  • પ્રતિદિન 80 થી 90 મેટ્રિક ટન તુવેર દાળનું ઉત્પાદન
  • તુવેર દાળ સાથે જ જુવાર અને ઈન્દ્રાયણી ચોખાનું ઉત્પાદન
  • યુકે, યુએસએ, કેનેડા, સિંગાપોર અને દુબઈ ખાતે એક્સપોર્ટ

ઘર-ઘર રેંટિયો

1970ના દાયકામાં શ્રી વિપીનભાઈ ચોખાવાલા, જે આજે કંપનીના ચેરમેન છે, તેમણે સૌપ્રથમ નાના પેકિંગની કલ્પના કરી હતી. 1, 2, 5, 10 અને 25 કિલોગ્રામ પેકિંગની શરૂઆત કરી.

આ પહેલથી ગ્રાહકોને શુદ્ધ અને સ્વસ્થ ઉત્પાદનોની પહોંચ સુનિશ્ચિત થઈ અને રિટેલરોમાં ગુણવત્તાયુક્ત માલના વેચાણમાં વિશ્વાસ ઉભો થયો. રેંટિયો નાના પેકેજોમાં વેચાણ કરતી અગ્રણી બ્રાન્ડ બની, અને વિશ્વસ્તરીય પ્રક્રિયા દ્વારા દાળના પોષણ મૂલ્યને જાળવી રાખ્યું.

ગુજરાતમાં તુવેર દાળ માત્ર એક વાનગી કરતાં વધુ છે; તે સુકુન, પરંપરા અને પારિવારિક બંધનોનું પ્રતીક છે. દાળ-ભાતથી લઈને ઉત્સવની ભવ્ય વાનગીઓ સુધી, રેંટિયો તુવેર દાળ અસંખ્ય ભોજનમાં મૌન સાથી રહી છે, જે પરિવારોને ડાઇનિંગ ટેબલની આસપાસ એકત્રિત કરે છે.

rentio-2

વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતીક

ગુજરાતી ઘરમાં રેંટિયો તુવેર દાળ ફક્ત એક સામગ્રી નથી; તે પરિવારના રાંધણ વારસાનો એક મૌલિક ભાગ છે, જે લોકો વચ્ચે જોડાણ બનાવે છે અને દરેક ભોજન સાથે જીવનને સમૃદ્ધ બનાવે છે.

નમ્ર શરૂઆતથી ઘરેલું નામ બનવા સુધીની રેંટિયોની સફર, ગુણવત્તા અને શુદ્ધતા પ્રત્યેની અટૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. બ્રાન્ડે ભારતીય પરિવારોના પોષણની 90 વર્ષની ઉજવણી કરી, સાથે જ તે પોતાના મૂળભૂત મૂલ્યોને જાળવી રાખે છે, અને એ સુનિશ્ચિત કરે છે કે દરેક દાળનો દાણો વિશ્વાસ, પરંપરા અને સ્વાદનો વારસો ધરાવે છે.

નવીનતા સાથે ભવિષ્યને સ્વીકારવું

CEO શ્રીમતી શીતલના નેતૃત્વ હેઠળ, રેંટિયો ફૂડ્સ પોતાના મૂળ મૂલ્યો પ્રત્યે વફાદાર રહીને સતત વિકાસ પામે છે. કંપનીએ ઈ-કોમર્સ અને આધુનિક વેપારમાં પ્રવેશ કરીને કુદરતી પોષણનો વારસો નવી પેઢી સુધી પહોંચાડવાનું યત્ન કર્યું છે.

આ પણ વાંચો: RBIએ એક જ વર્ષમાં આટલા ટન સોનું ખરીદ્યું, જાણો શું છે તે પાછળનો મુખ્ય હેતું

શું બનાવે છે રેંટિયોને ખાસ?

  • રાસાયણ કે કીટનાશક વિના કરવામાં આવેલી ખેતી
  • પાણીના ઉપયોગ વિના અનોખી ડ્રાય પ્રોસેસથી બનાવવામાં આવે છે
  • આ પ્રોસેસને લીધે દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે રહે છે
  • કપાસીયા તેલ લગાવી, સૂર્યપ્રકાશમાં તપાવીને પેક કરવામાં આવે છે જેથી ટેસ્ટ અને પોષક તત્વો જળવાય રહે
  • દાળ ઘસવામાં ચામડાનો ઉપયોગ નથી થતો
  • દરેક દાણો ક્વોલિટી કંટ્રોલ ચેક પાસ કરે છે, જેથી ગુણવત્તા શ્રેષ્ઠ સ્તરની રહે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

90 years of Rentio Rentio Tuver Dal Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ