પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દેશભરમાં સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારતની રાંચીમાં શરૂઆત કરી. જોકે આ સ્કીમ હેઠળ આર્થિક રીતે ગરીબ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત વીમો આપવામાં આવશે. આ યોજનાને સફળ બનાવવા માટે સરકારે ઘણા લોકોનો નિયુક્ત કરશે વિભિન્ન પદો પર ભરતી જલ્દીથી કરવામાં આવશે જેની મદદથી લોકો અધિકતમ 1 લાખ રૂપિયાની કમાણી દર મહિને કરી શકશે.
જલ્દી શરૂ કરવામાં આવશે ભરતી:
સરકાર દેશભરમાં 1 લાખ જેટલી નોકરીની તકો ઉભી થશે. મોદી સરકારની મહત્વકાંક્ષી યોજન આયુષ્માન ભારત હેઠળ જલ્દીથી આયુષ્માન મિત્રોની નિમણૂક કરવામાં આવશે. જેના હેઠળ 15000 રૂપિયાનું વેતન આપવામાં આવશે તેમજ જેઓ પ્રોફેશનલ્સ હશે તે લોકોને 50 000- 90 000 સુધીનું વેતન આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે એવી આશા વ્યકત કરી છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ આગામી પાંચ વર્ષોના લગભગ 10 લાખ નોકરીઓનો અવસર ઉભા થશે.
આ લોકોની કરવામાં આવશે નિયુક્તિ:
આયુષ્માન મિત્ર બનવા માટે અરજીકર્તાને કોઇ માન્યતા પ્રાપ્ત સંસ્થાનમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું જરૂરી છે. આ સિવાય એવા યુવાનોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે જેમનો રિસર્ચના ક્ષેત્રમાં અનુભવ હોય અને તેઓનું રિસર્ચ પેપર પણ પબ્લિક થઇ ચૂક્યુ હોય. આ નોકરી માટેના ઉમેદવારો હેલ્થ સેક્ટરનો અનુભવ હોવો જરૂરી છે. બીટેક પાસે યુવાનો પણ આ માટે આવદેન કરી શકે છે.
વય મર્યાદા અને પગાર:
- આયુષ્માન મિત્રની પોસ્ટ માટે 32 વર્ષથી ઓછી વયના લોકો આવેદન કરી શકે છે
- આયુષ્માન મિત્રો માટે જેની પંસદગી કરવામાં આવશે તેઓને દર મહિને 15000 રૂપિયાનું વેતન આપવામાં આવશે તેમજ જેઓ પ્રોફેશનલ્સ હશે તે લોકોને 50000-90000 સુધીનું વેતન આપવામાં આવશે.
આ કામ કરવું પડશે:
- આયુષ્માન મિત્ર કોઇ પણ સમયે રોગીઓની સહાયતા માટે ઉપલબ્ધ રહેશે તેઓનું કામ લાભાર્થીઓ અને હોસ્પિલ વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનું જોઇએ. આ સાથે જ આયુષ્માન મિત્ર ડેસ્ક સંચાલન કરવા માટે અને આ યોજનામાં નામકરણ કરવાની સાથે જે તે પાત્રની યોગ્ય ખાતરી માટેના ડોક્યુમેન્ટ્સ ચકાસણી કરવાનું કાર્ય કરવાનું રહેશે.
આ રીતે કરો અરજી:
- સૌથી પહેલા ઑફિશ્યલ વેબસાઇટ https://www.abnhpm.gov.in/ પર જવાનું રહેશે.
- આયુષ્માન ભરતી 2018ની લિંક પર ક્લિક કરો.
- ત્યાં આપવામાં આવેલા નિર્દશોને વાંચીને એપ્લિકેશન ફોર્મ ભરીને અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો.