ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં અંતરિમ વળતર પ્રાપ્ત કરવા માટે ફરિયાદર્તાને એક ફરજીયાત શરત પૂરી કરવી પડશે.
ચેક બાઉન્સ થવા પર મોટાભાગે લોકો પરેશાન થવા લાગે છે. સુપ્રીમ કોર્ટની પાસે ચેક બાઉન્સથી જોડાયેલા ઘણા મામલા સામે આવ્યા છે, ત્યારબાદ કોર્ટે તેક બાઉન્સના રૂલ્સમાં સંશોધન કર્યું છે. ચેક બાઉન્સ થવાની સ્થિતમાં અંતરિમ વળતર પ્રાપ્ત કરવા માટે ફરિયાદકર્તાને એક ફરજીયાત શરત પૂરી કરવી પડશે.
સુપ્રીમ કોર્ટે આ મામલાને સ્પષ્ટ કરતા કહ્યું કે નેગોશિએબલ ઇઉન્સ્ટ્રૂમેન્ટ એક્ટની ધારા 143A ને લઇને 2018માં સંશોધન કર્યું હતું. આ સંશોધન બાદ ફરિયાદ દાખલ કરાવનારને 20 ટકા અંતરિમ વળતર પ્રાપ્ત કરવાનો હક મળશે.
ઉલ્લેખનીય છે કે નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની ધારા 143A હેઠળ જોગવાઇ છે કે ચેક બાઉન્સ થવાનો મામલો કોર્ટમાં લંબિત છે, તો આરોપી દ્વારા ફરિયાદકર્તાને અંતરિમ વળતર આપવું પડશે.
આ સ્થિતિમાં થાય છે ચેક બાઉન્સ
જો તમને કોઇ ચેક આપે છે અને તમે એને કેશ કરાવવા માટે બેંકમાં જમા કરો છો તો એ જરૂરી છે કે ચેક જારી કરનારના ખાતામાં ઓછામાં ઓછા એના પૈસા હોય, જેટલો ચેક એને જારી કર્યો છે. જો એના ખાતામાં એટલા રૂપિયા નથી તો બેંક ચેકને dishonour કરી દે છે. એને ચેક બાઉન્સ કહેવામાં આવે છે. જ્યારે ચેક બાઉ્સ થાય છે, તો બેંક તરફથી એક સ્લિપ પણ આપવામાં આવે છે. આ સ્લિપમાં ચેક બાઉન્સ થવાનું કારણ લખેલું હોય છે.
20 ટકા રકમ જમા કરાવવાની જોગવાઇ
નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટમાં સંશોધન કરીને જોગવાઇ કરવામાં આવી હતી કે ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં આરોપી તરફથી પહેલા જ ચેક પર નક્કી કરેલી રકમના 20 ટકા રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે. જો નીચી કોર્ટમાં નિર્ણય આરોપીની વિરુદ્ધ આવે છે અને એ ઉપરની કોર્ટમાં અરજી કરે છે તો પછી એ કુલ રાશિની 20 ટક રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે.
કોણ જારી કરી શકે છે ચેક
તમને જણાવી દઇએ કે ચેક કોઇ વ્યક્તિ અથવા કંપની જારી કરી શકે છે. આ ઉપરાંત ટ્રસ્ટ અને સોસાયટી સહિત અન્ય સંસ્થાઓ પણ ચેક જારી કરી શકે છે. એની સાથે જ તમને એવું પણ જણાવી દઇએ કે કોઇ પણ ચેક જારી કરવાની તારીખથી લઇને 3 મહિના સુધી જ માન્ય હોય છે.