બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:38 PM, 21 April 2025
Indian Trade ; ભારત સરકાર ટૂંક સમયમાં સ્ટીલની આયાત પર 12 % નો કામચલાઉ ટેરિફ (સેફગાર્ડ ડ્યુટી) લાદવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ નિર્ણયનો હેતુ ચીન અને અન્ય દેશોમાંથી થતી સસ્તી સ્ટીલની આયાતને રોકવાનો છે. જે છેલ્લા ઘણા વર્ષોમાં દેશની સ્થાનિક સ્ટીલ મિલો માટે એક મોટો પડકાર બની ગયો છે. આ ટેરિફ, જેને "સેફગાર્ડ ડ્યુટી" કહેવામાં આવે છે, તેની ભલામણ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) દ્વારા કરવામાં આવી હતી. આ ચાર્જ 200 દિવસ સુધી લાગુ રહી શકે છે.
ADVERTISEMENT
આંકડા શું કહે છે?
વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ સ્ટીલ ઉત્પાદક દેશ હોવા છતાં, ભારત 2024-25માં સતત બીજા વર્ષે ફિનિશ્ડ સ્ટીલનો ચોખ્ખો આયાતકાર બન્યો છે. સરકારી માહિતી અનુસાર, ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત ગયા વર્ષે 9.5 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી હતી, જે 9 વર્ષમાં સૌથી વધુ છે. ભારતની કુલ સ્ટીલ આયાતમાં ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનનો ફાળો 78% હતો. આ વધતી જતી આયાતને કારણે, દેશની નાની સ્ટીલ કંપનીઓને ઉત્પાદન ઘટાડવા અને નોકરીઓમાં કાપ મૂકવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
DGTR ની તપાસ અને ભલામણનો પ્રભાવ
ગયા વર્ષે ડિસેમ્બરમાં, DGTR એ તપાસ શરૂ કરી હતી કે, શું સસ્તા સ્ટીલની આયાત સ્થાનિક કંપનીઓને નુકસાન પહોંચાડી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે, વિદેશી સ્ટીલના પૂરને કારણે સ્થાનિક ઉદ્યોગોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આ પછી, માર્ચમાં, DGTR એ 12% ટેરિફ લાદવાની ભલામણ કરી. આ ભલામણ હવે નાણા મંત્રાલયના વિચારણા હેઠળ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, તેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.
મોટી સ્ટીલ કંપનીઓને ટેરિફમાંથી રાહત મળશે
દેશની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ જેમ કે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ સરકારને સસ્તી આયાત પર નિયંત્રણ લાવવાની સતત માંગ કરી હતી. આ કંપનીઓનું કહેવું છે કે, જો આ ટેરિફ લાદવામાં ન આવ્યા હોત તો સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને ભારે નુકસાન થયું હોત અને લાખો લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.