બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:05 AM, 5 July 2025
કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓના હિતમાં મોટો અને રાહતદાયક નિર્ણય લીધો છે. હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરનાર કર્મચારીઓને પણ એ જ કર લાભ મળશે જે અત્યાર સુધી માત્ર NPS હેઠળ મળતા હતા. સરકારે હવે આ વિકલ્પ પસંદ કરવાની સમયમર્યાદા 30 જૂનથી વધારીને 30 સપ્ટેમ્બર, 2025 કરી છે.
ADVERTISEMENT
આ સમયવધારો માત્ર હાલના કર્મચારીઓ માટે નહીં પરંતુ નિવૃત્ત કર્મચારીઓ અને મૃત્યુ પામેલા પેન્શનરોના જીવનસાથી માટે પણ લાગુ થશે. વિત્ત મંત્રાલયના આ પગલાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ વધુ ઉત્તમ બનશે.
સ્કીમનો હેતુ
ADVERTISEMENT
આ વર્ષની શરૂઆતથી જ 1 એપ્રિલ 2025થી યુનિફાઇડ પેન્શન સ્કીમને કેન્દ્ર સરકારની સિવિલ સર્વિસમાં જોડાતા લોકોને NPSના વિકલ્પ રૂપે રજૂ કરવામાં આવી હતી. UPS હેઠળ કેન્દ્ર સરકાર કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 18.5% નું યોગદાન કરે છે, જયારે કર્મચારી પોતે 10% યોગદાન આપે છે. આ સ્કીમનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓને નિવૃતિ પછી નિશ્ચિત પેન્શન આપવાનો છે, જે NPSની તુલનાએ વધુ સ્થિર અને પરંપરાગત લાભ આધારિત માનવામાં આવે છે.
NPSમાંથી UPSમાં સ્વિચ કરવાનો મોકો
ADVERTISEMENT
હાલમાં NPS હેઠળ આવતા કેન્દ્રિય કર્મચારીઓને એક વખતનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેના હેઠળ તેઓ UPS પસંદ કરી શકે છે. જો કે, આ સ્વિચ કરવું ફરજિયાત નહીં પરંતુ સ્વૈચ્છિક છે. વિત્ત મંત્રાલયના જણાવ્યા મુજબ, UPS પસંદ કરનાર કર્મચારીઓને હવે TDS છૂટ અને અન્ય બધા કર લાભ પણ મળશે, જે અત્યાર સુધી માત્ર NPS હેઠળ મળતા હતા. આ નિર્ણયથી બંને પેન્શન યોજના વચ્ચે સમાનતા સ્થપાશે.
Government announces that all tax benefits currently available under the National Pension System (#NPS) will also be extended to the newly introduced Unified Pension Scheme (#UPS).
— All India Radio News (@airnewsalerts) July 4, 2025
In a statement, @FinMinIndia says that the inclusion of UPS under the tax framework marks another… pic.twitter.com/CZdL16ksAF
ADVERTISEMENT
આ મોકો માત્ર એક જ વાર મળશે
કર્મચારીઓ એ જાણવું મહત્વપૂર્ણ છે કે જો તમે NPS હેઠળ છો અને UPS પર સ્વિચ થવા ઇચ્છો છો તો આ મોકો માત્ર એક જ વખત મળશે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં તમારો વિકલ્પ પસંદ કરવું ફરજિયાત રહેશે. UPS એક નિશ્ચિત પેન્શન સ્કીમ છે, જેમાં સરકાર વધુ યોગદાન આપે છે. હવે UPS પર પણ એ જ કર છૂટ મળશે, જે NPSમાં મળતી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: તમારું તો આ બેંકમાં એકાઉન્ટ નથી ને? તો બદલાઇ જશે ક્રેડિટ કાર્ડને લગતા આ નિયમ
કેન્દ્ર સરકારનું આ પગલું તે કર્મચારીઓ માટે ખાસ રાહત લાવનાર છે, જે નિવૃતિ પછી વધુ સ્થાયીત્વ અને નિશ્ચિત પેન્શનની શોધમાં છે. હવે કર્મચારીઓને વિચારીને નિર્ણય લેવા માટે વધુ સમય અને વિકલ્પો મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.